________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારનું કેન્સર છે. એ કષાયો તમને અનંત દુઃખ આપશે. એને લીધે જે પ્રાપ્ત કરવાનું છે એ આત્મસુખથી વંચિત રહી જશો. ક્રોધના કારણો અંગે વિચાર કરો. પરમાત્માની આજ્ઞાનો તમે અનાદર કરો છો. જે પરમાત્માની કૃપાથી આ જીવન મળ્યું છે એ જ પરમાત્મા અને ગુરૂની ઉપેક્ષા કરો છો. વર્તમાનમાં ભવિષ્યને સામે રાખીને દરેક કાર્ય કરો તો જીવન નંદનવન બની જાય.” આગ જેવું બળબળતું જીવન જ્યોતિર્મય બની જાય, આ સંસાર સ્વર્ગ બની જાય. તમારી દષ્ટિ બદલો, તમારી નહીં, પરમાત્માની નજરથી સંસારને જૂઓ. સંસાર સડેલો છે, વિકૃત છે, તમારા વિચારોમાં દુનિયાભરની બીમારી ભરી છે. શું જોવું અને શું ન જોવું, શું ખાવું અને શું ન ખાવું એનો વિવેક તમારામાં નથી. તમે દરેક ઇન્દ્રીયોનો દુરૂપયોગ કરો છો. જે ઇન્દ્રીયો મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે મળી છે એનો ઘોર દુરૂપયોગ થઈ રહ્યો છે જે અવશ્ય દુર્ગતિ તરફ દોરી જશે. “જ્યાં પરમાત્માની આજ્ઞાની આરાધના છે ત્યાં મોક્ષનો જન્મ છે અને જ્યાં આજ્ઞાની વિરાધના, ઉપેક્ષા અને તિરસ્કાર છે ત્યાં સંસાર છે. સંસાર તરવા માટે છે, ડૂબવા માટે નહી. ઘણું બધું કર્યા પછી, આખી જીંદગી હલેસા માર્યા પછી, કષાયોરૂપી દોરડું તમારી સંસાર નાવથી છૂટવું જોઈએ, એ નહી ફૂટે તો અત્યારે છો ત્યાં ને ત્યાં જ રહી જશો. પ્રગતિ નહીં કરી શકો, તમારી કરેલી બધી મહેનત, બધો ધર્મ એળે જશે. આટલી બધી ધર્મ ક્રિયા કરો, દર વર્ષે પર્યુષણ કરો, તપ, જપ અને આરાધના કરો છો, ઘણો શ્રમ કરો છો પણ નફામાં જે મળવું જોઈએ મળે છે કે નહી એ અંગે કદી વિચાર કરો છો? નિર્લેપ વૃત્તિ આવવી જોઈએ, સંસારની છૂટવાની ભાવના થવી જોઈએ. તમે કર્મરાજાની કસ્ટડીમાં છો. ઇન્દ્રીયોના ગુલામ થઈને રહો છો. જગતના કોઈ આત્મા માટે દુર્ભાવ પેદા ન કરો. આટલું બધું તપ કર્યા પછી પણ રોગ ન જાય તો દવામાં કોઈ દોષ નથી પણ તમારા તરફથી પથ્યપાલનમાં, આચારમાં કોઈ ભૂલ થઈ છે એમ જાણજો. પરમાત્માના વિચારો એ દવા છે, જીવનનો આચાર એ પથ્ય છે. આરોગ્યની પ્રાપ્તિ માટે તો આપણે પરમાત્માને પ્રાર્થના કરવાની છે. પરમાત્માના વિચારોને જીવનમાં વ્યાપક બનાવો. તમારા સંબંધોમાં સ્વાર્થ
For Private And Personal Use Only