________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી
બોરીજ, ગાંધીનગર,
તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૩) અનંત ઉપકારી, અનંત જ્ઞાની જિનેશ્વર પરમાત્માએ ધર્મ પ્રવચન દ્વારા આ જગત ઉપર ઉપકારની વર્ષા કરી છે. પરમાત્માનો એક એક શબ્દ મહામંત્ર છે, અનાદિકાળથી મૂછવાળા આત્માને જાગૃત કરવાવાળો છે. એવી જાગૃતિ જીવનને પૂર્ણતા પ્રદાન કરે છે. ઘણા વખતથી પરમાત્માના આ મંગળ પ્રવચન ઉપર ચિંતન કરવા દ્વારા અહીં સુધી પહોંચ્યા છીએ. પ્રવચનની ઉંડાઈમાં જાવ, શબ્દમાંથી બહાર આવીને આત્મામાં પ્રવેશ કરો. કેવી ભાવનાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે? આ સંસારનું કારણ શું? અનાદિકાળથી ભવ ભ્રમણ કરતા કરતા અહીં આવ્યા છીએ. અનંત ભૂતકાળની સામે વર્તમાન જીવન તો એક ક્ષણ માત્ર છે એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. જો અહીં જાગૃતિ નહી આવે તો ભવિષ્યમાં ક્યાં જશો એની કલ્પના કરો. કેટલા બધા કષ્ટો વેઠ્યા પછી, અપાર દુઃખો સહન કર્યા પછી અહી સુધી આવ્યા છો? ક્ષણિક વિશ્રામ કે પ્રમાદ કરશો તો દુર્ગતિમાં ચાલ્યા જશો. સંસારનું મૂળ કારણ શું? દુઃખની ખાણ કઈ? એ અંગે વિચાર કરો. કષાયો દ્વારા બધા દુઃખ ઉત્પન્ન થાય છે. "કષ" એટલે સંસાર અને "આય" એટલે નફો. જે કાર્યથી સંસારનો લાભ થાય છે એને કષાય કહે છે, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. આજ સુધી તમે એના ગુલામ બનીને રહ્યા છો, એના માલિક બનવા તમે કદી પ્રયત્ન નથી કર્યો. મમત્વ તમારા સંસારનું પોષણ કરે છે. ક્રોધ એક પ્રકારનું કેન્સર છે, કષાયો એક
૧૬
For Private And Personal Use Only