________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેટલા દાન કરતાં પણ ચઢી જાય છે અને ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જગતના જીવમાત્ર જીવવા ચાહે છે.
દાનમાં સર્વશ્રેષ્ઠ અભયદાન માનવામાં આવ્યું છે. સાધુ જીવનમાં બધા જીવોને અભયદાન આપવાની ભાવના છે. સાધુ એવું કોઈ કાર્ય ન કરે કે જેથી કોઈ જીવની વિરાધના થાય. તમે કોઈને જીવન બક્ષી શકતા નથી તો કોઈનો જીવ લેવાનો તમને અધિકાર પણ નથી એ વાત યાદ રાખો. પશુઓને દિલ કે દિમાગ જેવું કંઈ હોતું નથી. એ એમના સ્વભાવ મુજબ કામ કરશે. પણ તમારો ધર્મ તો તેમને બચાવવાનો છે.”
મહંમદ પયગંબર સાહેબ પણ એકવાર એક વિંછીને પાણીમાં ડૂબતો જોઈને એ કાઢીને પોતાના હાથ ઉપર મૂકે છે, વિછી ડંખ મારે છે, છતાં પણ એ સહન કરે છે. દયા અને મૈત્રીના સંસ્કારો વિકસાવો. અબોલ અને અજ્ઞાની જીવો પ્રત્યે પણ દયા દાખવો અને એમને માફ કરો. દયાળુ આત્મા માટે સ્વર્ગના દ્વાર હંમેશા ખુલ્લા રહેતા હોય છે. તમે ભગવાનના અહિંસાના ઉપદેશને બહુ સિમિત બનાવી દીધો છે. બીજા માટે મરી છૂટો એ સારી વાત છે, પણ પશુ પક્ષીઓ તરફ પણ દયા દાખવો, એમને બચાવો. સાધુના વેશનો પુણ્ય પ્રભાવ બહુ હોય છે. મોટે ભાગે સાધુ જીવનમાં અપમંગળ ઘટતા બનતી હોતી નથી. સાધુ સામે સામાન્ય રીતે કોઈ શંકાની નજરે જોતું નથી. વ્યસનોનો ત્યાગ હોવો જોઈએ, પ્રાણ આપીને પણ કોઈ મરતા જીવને બચાવવો એ સૌથી વધારે મોટુ પુણ્યનું કામ છે. તમારી પાસે સુંદર અને સ્વસ્થ વિચારો હશે તો સામેવાળાને પણ તમારા માટે સુંદર ભાવ પેદા થશે. પણ જો તમારામાં મલિનતા કે દુર્ભાવ હશે તો સામેવાળાને પણ તમારા માટે દુર્ભાવ પેદા થશે. ક્યારેય ધર્મને વેચો નહી કે કલંકિત ન કરો. તમે સાધુને અવારનવાર મળો છો, ઘણા સાધુના પરિચયમાં પણ હો છો. પણ તમે સાધુ પાસેથી કંઈ શીખવાનો પ્રયત્ન નથી કરતા. તમારા વિચારોમાં મૂળથી પરિવર્તન લાવો. કુસંસ્કારો તોડો, દયાભાવ આવશે એટલે દાન ભાવ પણ આપોઆપ આવશે અને સરળતા પણ આવશે. ધર્મની પૂરી સમજ વગર સાધુની બીનજરૂરી કે ખોટી ટીકા ન કરો. એવું કરશો તો
૧૩
For Private And Personal Use Only