________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગતિમાં જશો. દાન કરો પણ શુદ્ધ ભાવથી કરો. પરમાત્માની આજ્ઞા છે એમ સમજીને દાન કરો. દાનમાં પણ પ્રાણ હોવા જોઈએ. દાનને હાથનું આભૂષણ માનવામાં આવ્યું છે. ભિખારી ભીખ નથી માંગતો. એ ઉપદેશ આપે છે કે કંઈક આપો, કંઈક આપો. મેં પૂર્વ ભવમાં કંઈ નથી આપ્યું એટલે મારી આ દશા થઈ છે. તમારે આવી દશા ન જોવી હોય એટલા માટે પણ કંઈક આપો. ધન ઉપાર્જનમાં પણ પ્રમાણિકતા અને નૈતિકતા દાખવો. જ્ઞાનીઓએ કરણ કરાવણ અને અનુમોદનની વાત કરી છે. કોઈ દાન કે તપ કરતું હોય તો એનો આનંદ લો, એનું સન્માન કરો, એના સુકૃતોની પ્રસન્નતાથી અનુમોદના કરો. કોઈના શુભ કાર્યમાં ભાગીદાર બનો. ઇર્ષા ન કરો. એનાથી પુણ્ય ઓછું થાય છે. ક્ષમાની ભાવનાથી હૃદયમાં ધર્મ દઢ બને છે. પણ એ આચરણમાં હોવી જોઈએ. અંતરભાવથી એવી ક્ષમાપના કરો કે હૃદય નિર્મળ બને. જીવ માત્ર પ્રત્યે વેર કે દ્વેષ ન રાખો. રાગ અને દ્વેષથી શરીરનું આરોગ્ય બગડે છે, મગજમાં એક પ્રકારનો તનાવ ઉત્પન્ન થાય છે, એને લીધે બ્લડ પ્રેશર વધે છે અને શરીરની આખી વ્યવસ્થા હચમચાવી નાંખે છે. ચરક સંહિતામાં પણ કહ્યું છે કે રાગ દ્વેષ જ રોગોનું જન્મસ્થાન છે. એની સામે ક્ષમા એ સૌથી મોટી અને મહામૂલી ઔષધિ છે. જે કંઈ થાય છે તે કર્મ અનુસાર થાય છે એમ વિચારો. જ્યાં ક્ષમાની ભાવના છે ત્યાં ધર્મ વસે છે. તમારો વર્તમાન બહુ ભયંકર છે. બધા ધર્મો મોટે ભાગે દુષિત બની ચૂક્યા છે. કોઈપણ સંજોગોમાં ધર્મની પવિત્રતા જાળવી રાખવા જેવી છે.
આજ સુધી ઘણું દૂધ પીધું પણ એના જેવું ઉજ્વળ તમારૂ હૃદય નથી થયું એમ વિચારી સૌથી પહેલા એની ક્ષમાપના કરો. હજ્જારો કિલો મીઠાઈ આજ સુધી ખાધી પણ જીભમાં એના જેવી મીઠાશ ન આવી. ભવિષ્યમાં એવી ભૂલ નહીં કરૂ એમ પ્રતિજ્ઞા લઈ મીઠાઈની ક્ષમાપના કરો. ક્યાં કોની ક્ષમાપના કરવી એ પણ બરોબર જાણો. અરિહંત પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ
જીવન જીવવા બદલ પરમાત્માની ક્ષમાપના કરો.” “જ્ઞાનીઓ કહે છે કે ક્રોધમાં બળે છે અને લોભમાં ડૂબે છે ત્યાં ધર્મ નાશ પામે છે.” “મોહનીય કર્મ
૧૪
For Private And Personal Use Only