SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમુખનાં લગ્ન ૪૩ રત્નથવાની પૂણ્ય-પાપ પરની શ્રદ્ધાનાં વચનોથી કેકસીનું મન હળવું થઈ જ ગયું હતું. પુત્રના મહાન પુણ્ય તરફ દૃષ્ટિ જતાં જ તેના હૈયામાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રસન્નવદને કકસીએ પતિનાં વચનોને સ્વીકારી લીધાં. મનુષ્ય સુખ.. સુખ ઝંખ્યા કરે છે, પણ તે બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે કે સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી. “શ્રદ્ધાવાન લભતે સુખમ્” સુખ માટે શ્રદ્ધા જોઈએ છે. પુણ્ય-પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધા સુખને લાવી આપે છે. પુણ્ય-પાપ પરની શ્રદ્ધાવાળો આત્મા બીજાને સુખનો માર્ગ ચીંધી શકે છે. આજે મનુષ્યસૃષ્ટિ દુ:ખના દાવાનળમાં સળગી રહી છે. તેનું આ એક જ કારણ છે કે મનુષ્ય પુણ્ય-પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધાનું વીસરી ગયો છે. દુઃખી બને છે ત્યારે બીજાનો દોષ જુએ છે! સુખી બને છે ત્યારે પોતાની હોશિયારી માને છે! પરિણામ એ આવે છે કે દુઃખી અવસ્થામાં બીજા પ્રત્યે તિરસ્કાર, દ્વેષ અને અરુચિની દુનિયા સર્જે છે. સુખી અવસ્થામાં અભિમાન, અહંકાર અને વ્યસનોની દુનિયામાં રાચે છે. બંને અવસ્થાઓમાં મનુષ્ય વાસ્તવિક સુખ-શાંતિને પામી શક્તો નથી. પુણ્ય-પાપની શ્રદ્ધાવાળ જ સાચું મનઃસ્વાથ્ય પામી શકે છે. દશમુખના પુણ્યબળે વૈતાઢય પર્વત પરના “સુરસંગીત' નગરને ઢંઢાળ્યું. સુરસંગીતનગરનો વિદ્યાધરરાજા મયરાજ ચિંતાના સાગરમાં ડૂળ્યો હતો. મયરાજની રાણી હેમવતી. હેમવતીની પુત્રી મંદોદરી, મંદોદરી એટલે ગુણોની મૂર્તિ અને સૌન્દર્યની મૂર્તિ. મંદોદરીના અંગેઅંગે યૌવનના અંકુરો ફૂટ્યા. તેનું યવન ફાટફાટ થવા લાગ્યું વૈતાદ્યની ઉત્તરશ્રેણી અને દક્ષિણશ્રેણીનાં અગ્રગણ્ય નગરોમાં મયરાજે મંદોદરીને અનુરૂપ વરની શોધ કરાવી, પણ કોઈ વિદ્યાધરકુમાર મંદોદરીને અનુરૂપ ન મળ્યો ત્યારે મયરાજ અને હેમવતીની ચિંતા નિરવધિ બની. મયરાજનો વિષાદમગ્ન ચહેરો જોઈ મંત્રીશ્વરે પૂછયું : મહારાજ! કેટલાક દિવસથી આપના મુખ પર આનંદઉલ્લાસ દેખાતો નથી.' સાચી વાત છે મંત્રીશ્વર!” કઈ વાત-વસ્તુની ચિંતા આપને પીડી રહી છે, તે કહી શકાય એમ હોય તો. For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy