________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ માટે તો અત્યારે અહીં આવી છું.'
‘ઠીક, કંઈ વિચાર કર્યો ખરો?'
‘ઘણો વિચાર કર્યો, વિચારમાં ને વિચારમાં તો ઊંઘ પણ ઊડી ગઈ છે. મારી!'
જૈન રામાયણ
‘કોઈના પર પસંદગી ઊતરી?’
‘ના રે ના. મારા પરાક્રમી પુત્રોને યોગ્ય મને તો કોઈ કન્યા દેખાતી નથી.’ ‘તો પછી?’
‘લ્યો, અમારે જ એકલાએ વિચારવાનું?’ કૃત્રિમ રોપ બતાવતી કૈકસી બોલી.
‘તો કન્યાઓ શોધવાનું કામ પણ મારે કરવાનું?' મજાક ઉડાવતા રત્નથવાએ કહ્યું.
‘હાસ્તો!’
બંને જણાં હસી પડ્યાં.
‘પ્રાણપ્રિયે! તું અને હું બહુ ચિંતા કરીએ તે વ્યર્થ છે.’ કંઇક ગૂઢ રહસ્ય કહેવાની ભૂમિકા કરતાં રત્નદ્મવાએ કહ્યું.
‘પણ શું? ચિંતા તમને નથી છોડતી એમ ને’
હા એ જ છે!’
‘કેમ વાર? પુત્રોને માટે માતાપિતાએ ચિંતા ન કરવી જોઇએ?
‘કરવી જોઈએ, પણ મર્યાદિત કરવી જોઈએ. ઊંઘ ઊડી જાય તેવી ચિંતા ન કરવી જોઈએ.'
‘મને કંઈ સમજાયું નહિ!'
‘એ જ કે તું અને હું ચિંતા કરીએ તે સહજ છે. પરંતુ પુણ્યશાળી આત્માઓની ચિંતા તેમનું પુણ્ય જ કરતું હોય છે. તારા પુત્રો પ્રબળ પુણ્યશાળી છે, તેમની ચિંતા તેમનું પુણ્ય કરી જ રહ્યું હશે. જોજે ને, અલ્પકાળમાં જ તેમનું પુણ્ય તેમને માટે સુગ્ય કન્યાઓ ખેંચી લાવશે!'
‘વાત તો સાચી છે પણ....
For Private And Personal Use Only
‘તમે તમારે ભગવાન શાંતિનાથનું ધ્યાન ધરતાં સૂઈ જાઓ. ચિંતાડાકણ ભાગી સમજો!'