________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમુખનાં લગ્ન
૪૧
કૈકી ઊભી થઈ. વસ્ત્રો બરાબર ઠીકઠાક કરી લીધાં. દીવાઓને પુનઃ તેજસ્વી કર્યા. રાત્રિની નીરવ શાંતિનો ભંગ ન થાય તે રીતે ધીમે પગલે તે શયનખંડમાંથી બહાર નીકળી. એક પછી એક સોહામણા ખંડો વટાવી, તે એક અતિ રમણીય શયનખંડની પાસે આવી પહોંચી.
શયનખંડને દ્વારે ઊભેલા ચોકીદારોને આંગળીને ઇશારે બાજુએ ખસેડી દીધા. ચોકીદારાએ મસ્તક નમાવી મહારાણીને પ્રણામ કર્યા.
કૈકસીએ શયનખંડમાં પ્રવેશ કરી હારો બંધ કરી દીધાં. દ્વારોનો ખડખડાટ થતાં તરત જ રત્નવા પલંગમાં બેઠા થઈ ગયા.
કોણ?'
‘એ તો હું છું.’ કહેતી સૈકસી રત્નશ્રવાના પલંગ નજીક પહોંચી, પાસેના દીવાની જ્યોતિને મોટી કરી.
‘કેમ અત્યારે?’
‘કહું છું’ બાજુમાં પડેલા ભદ્રાસન પર બેસતાં કૈકસીએ કહ્યું. ક્ષણ વાર થાક ખાઈને, કસીએ વાતનો પ્રારંભ કર્યો.
‘પ્રાણનાથ! કુમારો મહાન વિદ્યા સિદ્ધ કરી આવી ગયા! નિર્વિઘ્ને મહાન કાર્ય થઇ ગયું.'
'હા, દેવી, કુમારોનું પરાક્રમ તો દેવોને પણ ઇર્ષ્યા ઉપજાવે તેવું છે.!' ‘નગરમાં ચોરે ને ચૌટે કુમારોની જ પ્રશંસા થઈ રહી છે.'
‘સાચી વાત છે, પરાક્રમીઓ જ પૃથ્વી પર પૂજાય છે.’
‘હું તો પુત્રોને જોઉં છું ને શેર શેર...’
‘લોહી વધે છે ખરું ને?' હસતાં હસતાં રત્નશ્રવાએ વાક્ય પૂરું કર્યું.
‘હવે મારું સ્વપ્ન સિદ્ધ થશે.'
‘કયું સ્વપ્ન ?’
‘લંકાના સ્વરાજ્યની પ્રાપ્તિનું.'
‘ખરેખર પ્રિયે! હવે તો દુશ્મનોનાં માથાં પર કાળનગારાં વાગી રહ્યાં છે.' સહેજ મોટા અવાજે રાશ્રવાએ કહ્યું.
પણ પુત્રોનાં લગ્નનાં નગારાં ક્યારે વગાડવાનાં છે?'
‘ઓહો! એ તો વિચાર જ નથી કર્યો!'
For Private And Personal Use Only