SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ જૈન રામાયણ - લક્ષ્મીવતીના આંગણે આવેલો કોઈ દુઃખી જીવ ખાલી હાથે પાછો જતો. નહોતો. લક્ષ્મીવતીની પાસે આવેલો કોઈ પણ જીવ હતાશ થઈને પાછો નહોતો જતો. પ્રસન્નમુખે અને સમતાભર્યા હવે તે સહુ જીવોને સત્કારતી અને પરમાત્માના અચિન્ત મહિમાને સમજાવતી. પરંતુ આ બધું એવું હતું કે ઈર્ષાળુ જીવન હૈયામાં આગ જલાવે! કનકોદરી લક્ષ્મીવતીનો આ ઉત્કર્ષ સહન ન કરી શકી! ક્યાંથી સહન કરી શકે? તલવારના ઘા સહન કરવા સહેલા છે, ઉગ્ર તપશ્ચર્યાનાં કષ્ટ સહન કરવાં સહેલાં છે, ભૂખ-તરસનાં દુઃખ સહન કરવાં સહેલાં છે, પરંતુ બીજાના ઉત્કર્ષને સહન કરવો દુષ્કર છે. જ્યારે બીજાનો ઉત્કર્ષ સહન થતો નથી ત્યારે મનુષ્ય બીજા દોષો જેવા પ્રેરાય છે અને છદ્મસ્થ આત્મામાં દોષો તો જોવા હોય એટલા મળે! ઈર્ષ્યાળુ મનુષ્ય બીજાના દોષો જોઈને પછી એને હલકો પાડવાનું નીચ કૃત્ય શરૂ કરે છે. પોતાની જાતને સારી અને સર્જન માનતો એ મનુષ્ય પછી સીધો અધ:પતનની ખીણમાં પટકાઈ પડે છે. કનકદરી લક્ષ્મીવતીની હલકાઈ કરવા પ્રેરાઈ. તેણે દાસીઓ વાટે લક્ષ્મીવતીના માટે અયોગ્ય વાતો વહેતી કરી. સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવી તેની સ્થિતિ થઈ. લોકોના હૃદય પર લક્ષ્મીવતીનું એવું નિશ્ચલ સ્થાન જામેલું હતું કે લોકો એનું જરાય ઘસાતું સાંભળવા તૈયાર ન હતા, બલકે ઘસાતું બોલનાર પ્રત્યે તેઓએ ભારે નફરત કરવા માંડી. કનકોદરીએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ લક્ષ્મીવતીનું તેજ જરાય ન ઝંખવાયું. બલકે દિનપ્રતિદિન લક્ષ્મીવતીના મહેલે ભક્તોની ભીડ જામવા લાગી. કનકોદરીનો તેજોદ્ધપ ખૂબ વધી ગયો. કોઈ પણ પ્રકારે લક્ષ્મીવતીની લોકપ્રિયતા તોડવા તેણે યોજનાઓ વિચારવા માંડી, વિચારતાં વિચારતાં તેને એક યોજના સૂઝી આવી. તેણે પોતાની સુલેખા નામની સખીને બોલાવી. સુલેખા કનકોદરીના વિચારોથી પરિચિત હતી. એને પણ લક્ષ્મીવતી પ્રત્યે અરુચિ હતી. લક્ષ્મીવતીના અહિતી પ્રત્યેક પ્રવૃત્તિમાં તે કનકોદરીને સહાય કરતી. કનકોદરીને પણ સુલેખાની હૂંફ સારી હતી. ‘સુલેખા, હવે એક ઉપાય સૂઝે છે...' કનકોદરીએ સુલેખાના કાનમાં વાત કરી. લક્ષ્મીવતીના તાગડધિન્ના શાના પર છે?' For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy