________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
ભૂલનું પરિણામ ‘ન સમજી ...
એટલે ન સમજી? એના ભગવાનની મૂર્તિની તો આ બધી ધાંધલ છે. એ મૂર્તિ જ...'
હા હા... સમજી ગઈ. બસ, હવે બધું હું પતાવી દઈશ...'
ના, એમાં તારું કામ નહિ, એ કામ હું જ કરીશ. તારે તો એક કામ કરવાનું છે.'
શું?' “યુક્તિપૂર્વક એ મૂર્તિને અહીં લઈ આવવાની.” ‘કબૂલ.” મહામુનિ અંજના અને વસંતતિલકાને તેમના ભૂતકાળના પટ પર લઈ જાય છે. બંને સખીઓ એકાગ્રપણે મહામુનિની વાણીનું શ્રવણ કરે છે.
સુલેખાએ નિત્ય લક્ષ્મીવતીના મંદિરમાં જવાનું શરૂ કર્યું. લક્ષ્મીવતીના ભક્તિપ્રસંગોમાં હાજર રહેવા લાગી. ધીરે ધીરે તેણે ત્રિકાલ પૂજા શરૂ કરી. એક ભક્ત શ્રાવિકાની ઢબે તેણે આચરણ શરૂ કર્યું. આ રીતે તેણે લક્ષ્મીવતીના મંદિરમાં આવતી પ્રત્યેક વ્યક્તિનો પ્રેમ સંપાદન કરવા માંડ્યો.
સુંદર સુંદર પુષ્પોના કરંડિયા લઈ જઈને તેણે પરમાત્માની અપૂર્વ અંગરચના કરવા માંડી. નિવેદના થાળ ભરી ભરીને લાવીને પરમાત્માની અદ્ભુત ભક્તિ કરવા માંડી. અલ્પકાળમાં તો લક્ષ્મીવતીના નામની સાથે સુલેખાનું નામ પણ લોકજિદ્વાએ રમવા માંડ્યું. લક્ષ્મીવતીને પણ સુલેખા પ્રત્યે પ્રેમ પ્રગટ્યો. સુલેખાની તેણે પ્રશંસા કરવા માંડી.
સુલેખાને પોતાની યોજના સફળ થતી લાગી. કનકદરીને તેણે કહી પણ દીધું કે હવે બે ચાર દિવસમાં કામ સિદ્ધ થયું સમજવું!' અને એક દિવસ બપોરે બાર વાગ્યે હાથમાં પુષ્પોનો કરંડિયો લઈ, પૂજનનાં વસ્ત્ર પહેરી, તે મંદિરમાં પહોંચી.
મધ્યાન રામયે મંદિરમાં પ્રાયઃ કોઈ જ હતું નહિ. તેથી એ સમયે સુલેખાને પોતાનું કાર્ય કરવું બરાબર લાગ્યું.
તેણે મૂર્તિની આસપાસ પુષ્પો વેરી નાંખ્યાં, અને મૂર્તિને કરંડિયામાં નાંખી, તેના પર થોડોક પુષ્પો ઢાંકી કરંડિયો લઈ મંદિરમાંથી નીકળી ગઈ. મહેલના મુખ્ય દરવાજાના દરવાનોની સામે રોજની ઢબે આછું સ્મિત કરી તે સડસડાટ
For Private And Personal Use Only