________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
દેવની વિટંબણા
એમ લાગતું હતું કે દુઃખના દિવસો હવે વીતી ગયા, પરંતુ હજુ દુર્ભાગ્ય કસોટી કરી રહ્યું છે.' વસંતતિલકાની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. પણ તેને અંજ ના ન જુએ એવી રીતે લૂછી નાખ્યાં.”
મહામંત્રીએ જયનાદની વાત ખુબ એકાગ્રતાથી સાંભળી. જયનાદને જવાની રજા આપી; અને પોતે ગંભીર વિચારમાં પડી ગયા.
અંજના નિર્દોષ છે. પવનંજયથી જ ગર્ભ રહ્યો છે, એ વાત સાચી છે. પણ હવે આ વાત કેતુમતીને કેવી રીતે સમજાવવી, એ મોટો પ્રશ્ન છે.' મહામંત્રીએ ઘણું ઘણું વિચાર્યું. મધરાત થઈ ગઈ, પરંતુ ઊંઘ આવતી નથી. અંજનાની નિ:સહાય રિથતિનો વિચાર કરતાં મહામંત્રી ધ્રુજી ઊઠ્યા. પોતે જો કહુમતીને ન સમજાવી શકે તો શું થાય?
શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં મહામંત્રી નિદ્રાધીન થયા. એકાદ પ્રહર ઊંધ્યા , ન ઊંધ્યા ત્યાં તો પ્રભાત થયું. પ્રાભાતિક કાર્યોથી પરવારી મહામંત્રી રાજમહાલયે જવા નીકળ્યા.
રાજા પ્રલાદ અને રાણી કેતુમતી મહામંત્રીની રાહ જોઈને જ બેઠાં હતાં. રાજાને નમન કરી, મહામંત્રીએ પોતાનું આસન લીધું. મોન પથરાયું.
ત્યાં કહુમતીએ વાતનો પ્રારંભ કર્યો. ‘મહામંત્રીજી, આજે ને આજે અંજનાને આ નગરમાંથી કાઢી મૂકવી જોઈએ.' રોષ અને આવેશથી કેતુમતી ધમધમતી હતી.
જો અંજના દોષિત હોય તો એ વિચાર બરાબર છે.” વયોવૃદ્ધ મહામંત્રીએ જવાબ વાળ્યો. “તો શું તમને નિર્દોષ લાગે છે?' મેં ઝીણવટથી તપાસ કરી છે. મને અંજના દોપિત નથી લાગતી.”
દોષિત જ છે. તપાસ વળી શું કરવાની? દીવા જેવું સ્પષ્ટ છે કે મારો પુત્ર બાવીસ વરસથી એના સામે જોત પણ નથી, તો એની સાથે સંગમ તો થાય જ કેવી રીતે ?'
શું બાવીસ વર્ષે પણ અંજના પ્રત્યે સદૂભાવ ન જાગી શકે?'
જાગતા હશે. પણ મારે મારા કુળને કલંક નથી લગાડવું. દુનિયા શું જાણે છે? દુનિયા જાણે કે પવનંજય અંજનાને બોલાવતો પણ નથી; અને પવનંજય
For Private And Personal Use Only