________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવની વિટંબણા
૧૮૭ એમ પૂરી ચોકસાઈ કર્યા વિના આપણાથી એને કાઢી ન મુકાય. રાજા મહેન્દ્ર સાથેના મારા સંબંધનો વિચાર કરવો જોઈએ. કોઈ પણ જીવને અન્યાય ન થઈ જાય, તેની આપણે જવાબદારી સમજવી જોઈએ.” પ્રદ્યારે એક સુજ્ઞ અને ઠરેલ રાજવી તરીકે વાણી ઉચ્ચારી. ‘તું નિશ્ચિત રહે, હું ઘટતું તમામ કરું છું. કેતુમતીને સમજાવી વિદાય કરી અને પ્રલાદે પ્રતિહારીને હાક મારી. સ્વામીનો અવાજ આવતાં પ્રતિહારીએ આવીને નમન કર્યું.
મહામંત્રી શીલરત્નને બોલાવી લાવો.' રાજાએ મહામંત્રીને બોલાવી લાવવા આજ્ઞા કરી. પ્રતિહારી પુન: નમન કરી બહાર નીકળી ગયો.
સમાચાર મળતાં જ મહામંત્રી રાજમહાલયમાં આવી પહોંચ્યા. રાજા પ્રલાદે મહામંત્રીને આસન આપ્યું : “મહારાજા! કેમ કંઈ અચાનક સેવકને યાદ કરવો પડ્યો?'
“મહામંત્રી, એક ગંભીર ઘટના બની ગઈ છે...” મહામંત્રી મૌન રહ્યા.
અંજના ગર્ભવતી બની છે, કેતુમતી નજરે જોઈને આવી.” રાજાએ વાતની ગંભીરતા બતાવી.
પછી આપે શું વિચાર્યું?” જરા ય ચમક્યા વિના મંત્રીએ પૂછયું.
મને તો કંઈ સૂઝ પડતી નથી. અંજનાની પવિત્રતા વિષે હજુ મારા મનમાં શંકા ઊઠતી નથી. જ્યારે બીજી બાજુ અંજના ગર્ભવતી બની છે, એ વાત એટલી જ સાચી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બાવીસ વર્ષથી પવનંજય અંજનાની સામે પણ જોતો નથી. તો પછી આ ગર્ભ કોનાથી રહ્યો?' રાજાએ પોતાની મૂંઝવણા બતાવી.
અંજના. આ અંગે શો ખુલાસો કરે છે તે આપે જાણ્યું ? મંત્રીએ સર્વાગીણ માહિતી મેળવવા બીજો પ્રશ્ન પૂછ્યો.
કામતીની આગળ તો તેણે કહ્યું કે જે દિવસે પવનંજયે લંકા તરફ પ્રયાણ કર્યું, એ જ રાતે તે અંજના પાર પાછો આવેલો અને એક રાત તેની સાથે પસાર કરી, એના નામની મુદ્રિકા આપી, તે પાછો ગયો અને પોતાને ગર્ભ રહ્યો.”
મહામંત્રી વિચારમાં પડી ગયા. બાવીસ બાવીસ વર્ષના ગાળામાં મહામંત્રીએ અંજનાના સતીત્વ વિષે ઘણું સાંભળ્યું છે. પવનંજયે એનો ત્યાગ કર્યો હોવા
For Private And Personal Use Only