________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ૯
જૈન રામાયણ વાયુ નાંખી અંજનાને ભાનમાં લાવી, પરંતુ અંજનાને આજે દુનિયા ફરતી લાગે છે. તેની આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે, કરુણ કલ્પાંત ફરતી અંજના પતિને સાદ દે છે :
હે નાથ, તમે ક્યારે આવશો? તમને મેં જતાં જ કહ્યું હતું. મારું હૈયું તમને ન જવા દેવા માટે જ કહેતું હતું, પરંતુ તમે શીધ્ર પાછા આવવાની શરતે ગયા, હજી આવ્યા નહિ. મારી આ દુર્દશા તમારા સિવાય કોણ નિવારશે.”
કેતુમતી તો કલ્પાંત કરતી, અંજનાને પડતી મૂકીને સીધી પ્રલ્લાદ પાસે પહોંચી.
કહુમતીનો ક્રોધથી રાતોચોળ ચહેરો જોઈ રાજા પ્રલાદે વિસ્મયથી પૂછયું : “કેમ શું થયું? આટલો બધો..”
કુળને આગ ચંપાઈ ગઈ છે..' બાજુમાં પડેલા ભદ્રાસન પર બેસતા કેતુમતીએ કહ્યું.
ન સમજાયું.”
અંજનાએ આજે પોતાનું પોત પ્રકાશ્ય. આજ દિન સુધી આપણે અંજનાને નિર્દોષ, નિરપરાધી માનતાં હતાં, પરંતુ જાત કજાત નીકળી. તેને ગર્ભ રહ્યો છે.'
? ખોટું, તદ્દન ખોટું.' પ્રલાદ સિંહાસન પરથી ઊભા થઈ ગયા. કેતુમતીની વાતથી માથે વિજળી પડ્યા જેટલો આંચકો લાગ્યો. તેના માન્યામાં આ વાત ન આવી. રાજા મહેન્દ્રની પુત્રી અને પોતાની પુત્રવધૂ કદી પણ આવું અધમ કૃત્ય ન કરે, એમ એનું મન બોલી ઊઠ્યું.
“નજરે જોઈને આવું છું, તે ગર્ભવતી થઈ ગઈ છે, અને કહે છે કે તમારા પુત્રથી જ હું ગર્ભવતી થઈ છું! પણ મારા લાડલાએ તો કુલટાનું મોં પણ જોયું નથી. મોં જોવાય એ રાજી ન હતો અને એનાથી એને ગર્ભ રહે? વળી ધુતારણ કેવી છે! પવનંજયના નામની વીંટી મને દેખાડી.”
રાજા મલ્લાદ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. બાવીસ બાવીસ વર્ષ સુધી કોઈ દિવસ અંજના માટે એણે અજુગતું સાંભળ્યું નથી કે જોયું નથી, એ અંજના માટે આજે જ્યારે ખુદ કેતુમતીને ફરિયાદ કરતી આવેલી જઈ પ્રલાદના ચિત્તમાં ખળભળાટ મચી ગયો.
‘તમે શું વિચાર કરો છો? એવી કુલટા આપણા ઘરમાં ન જોઈએ. એને એના બાપના ઘેર તગેડી મૂકો, મેં તો એને ચાલી જવા કહી દીધું છે..' કેતુમતીનો આવેશ વધતો જાય છે.
For Private And Personal Use Only