________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. લંકાનું પતન અને ઉત્થાન
કાળનો અનાદિકાલીન ધસમસતો પ્રવાહ વહેતો જ જાય છે! વહેતો જ જાય છે! એ પ્રવાહમાં અનંત અનંત તીર્થકરો વહી ગયા! અનંત અનંત ચક્રવર્તીઓ... અનંત અનંત વાસુદેવો... બલદેવો... માનવો... દાનવો... તણાઈ ગયા. રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપ પર અગણ્ય રાજાઓ થઈ ગયા.
શ્રેયાંસનાથ પછી તો વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ અને મલ્લિનાથ, એમ આઠ તીર્થકરો થઈ ગયા. વીસમાં તીર્થપતિ મુનિસુવ્રતસ્વામીનો કાળ આવી લાગ્યો. લંકાનો નાથ તડિકેશ હતો. લંકા અને કિષ્કિન્ધા એટલે મિત્રરાજ્યો. કિષ્કિન્ધાના અધિપતિ “ધનોદધિરથ વાનરેશ્વર સાથે તડિત્વેશને ખૂબ પ્રેમ હતો.
કિષ્કિન્ધાનાં રમણીય ઉદ્યાનોમાં સહેલગાહ કરવાનો તડિક્લેશને મનોરથ જાગ્યો. અંતઃપુરની રાણીઓને લઈ તડિકેશ વાનરદ્વીપ પર આવી પહોંચ્યો. નંદનવનની હરીફાઈમાં ઊતરેલા વાનરદીપના “નંદન' નામના ઉદ્યાનમાં તડિકેશ કીડાઘેલો બની ગયો!
તડિકેશની પ્રાણપ્રિયા ચંદ્રા એક સુંદર વૃક્ષની નીચે બેઠી હતી. ત્યાં વૃક્ષ પરથી એક વાંદરો નીચે ઊતરી આવ્યો.
ક્યારેય નહિ... ને આજે આ વાનરે મોટો જુલમ કર્યો. નીચે ઊતરીને સીધો જ તેણે ચંદ્રારાણી પર હુમલો કર્યો. તીર્ણ નખો વડે રાણીની છાતી પર ઉઝરડા ભરવા માંડ્યા. ચંદ્રા તો અચાનક આવી પડેલી આફતમાં બેબાકળી બની ગઈ. તેણી ચીસ પાડી ઊઠી.
કુકર્મોને પરાધીન પ્રાણી પર ક્યારે કઈ જગ્યાએ આફતો તૂટી પડે તે અજ્ઞાની જીવ કેવી રીતે જાણી શકે? માટે તો કુકર્મોની પરાધીનતાને ફગાવી દેવાનો પુરુષાર્થ કરવા પરમપુરુષો ઉપદેશ કરે છે.
ચંદ્રાની કારમી ચિચિયારી સાંભળતાં તડિસ્કુશ બહાવરો બની ગયો. તેણે જોયું કે એક ભયાનક વાનર ચન્દ્રા પર હલ્લો કરી રહ્યો છે, ત્યાં જ ધનુષ્ય પર તણ તીર ચઢાવ્યું.
સરરરર કરતું તીર સીધું જ વાનરના પેટમાં ઘૂસી ગયું. તીરના ઘાની
For Private And Personal Use Only