________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય અને અંજના
૧૩ બંt રાજાઓની પોતપોતાની મનની ધારણા પાર પડી હોવાથી આનંદ અનુભવી રહ્યા છે. તેમાં ત્રીજા જ દિવસે લગ્નનું મુહૂર્ત આવતાં તેઓ નાચી ઊડ્યા અને માનસરોવરના રમણીય તીર પર આ ભવ્ય લગ્નોત્સવ ઊજવવા તેવા તેમણે નિર્ણય કર્યો.
પોતપોતાના પરિવારને આજ્ઞા પણ કરી દીધી કે માનસરોવરને તીરે સ્વર્ગ જેવું સુંદર એક નગર ખડું કરી દો! પરંતુ આ તો બંને વેવાઈઓની વાત થઈ.
આ વાતની ખબર અલ્લાદપુત્ર પવનંજયને પડી. તેણે તરત જ પોતાના મિત્ર પ્રહસિતને પૂછયું :
મિત્ર! તે અંજનાને જાંઈ છે? તે કેવી છે?' “અંજના? હા મેં જોઈ છે. રંભા અને ઉર્વશીના સૌંદર્યને પણ ટપી જાય તેવું તેનું અનુપમ દર્ય છે!” હસતાં હસતાં પ્રહસિતે કહ્યું.
તું મશ્કરી ન કર. જે વાત સાચેસાચી હોય તે કહે.' પ્રહસિતને હસતો જોઈ પવનંજય કંઈક શંકા પડી.
મશ્કરી કરવાની હોય મિત્ર! અને મેં જે રૂપ દીઠું છે તેનું હું શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી. અરે, આંટો બૃહસ્પતિ આવે તો એ પણ વર્ણન કરી ન શકે, સમજ્યો?'
આ શબ્દો સાંભળીને પવનંજય ક્યાં ઊભો રહી શકે?
અંજનાને નજરોનજર જોવા માટે તે તલપાપડ બની ગયો. પ્રહસિતના ગળે બે હાથ ભેરવીને, આંખોમાં આંખો મિલાવીને તેણે કહ્યું : દોસ્ત! આજ ને આજ મને અંજના દેખાડ..” અરે પણ લગ્નની ક્યાં વાર છે? ત્રીજા દિવસે તો...'
ત્રણ દિવસ છે વચ્ચે મિત્ર! એક દિવસ તો શું, એક ઘડી પણ હવે મારા માટે એક માસ જેવી થઈ ગઈ છે.”
કામની ગતિ ન્યારી હોય છે! કામ કોને નથી નચાવ્યા? ભલભલા પંડિતોને, મુનિઓને પણ કામે પલવારમાં પછાડી દીધો છે તો પછી પવનંજય જેવો રાજપુત્ર તો શી વિસાતમાં? કામના વાતાવરણમાં ફસાયા પછી એમાંથી મુક્ત થવું ઘણું જ દુષ્કર હોય છે. એવું દુષ્કર કાર્ય કરનારા તો ઝાંઝરિયા મુનિ, સુદર્શન શેઠ કે સ્થૂલભદ્રજી જેવા કોઈક હોય છે! પ્રહસિતે કહ્યું : “મિત્ર, જરા
For Private And Personal Use Only