________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ર
જેન રામાયણ વાતો કરતા કરતા મહેન્દ્રના નિવાસસ્થાને આવી પહોંચ્યા. દીવાનખાનામાં બે સુંદર સિંહાસન પર બંને બેઠી અને વાર્તાલાપ આગળ ચાલ્યો. અલ્લાદે જરાક મૌન ધારણ કરીને મહેન્દ્રની સામે ગંભીર દષ્ટિથી જોયું.
કહો, જે કહેવું હોય તે, સંકોચ રાખ્યા વગર કહો.' મહેન્દ્ર પ્રલ્લાદની મુખમુદ્રા જોઈને કહ્યું.
મારે એક માગણી કરવી છે...!” આછેરું સ્મિત કરીને પ્રલાદ ભૂમિકા રચી.
એક નહિ બે!” મહેન્દ્ર પ્રસ્લાદનો સંકોચ તોડી નાંખ્યો. “રાજપુત્ર પવનંજય માટે તમારી અંજના મારે જોઈએ!' પ્રસ્લાદે ખુલ્લા દિલે વાત કરી દીધી.'
જ્યારથી તેણે જિનમંદિરમાં અંજનાને જોઈ હતી ત્યારથી એના ચિત્તમાં અંજનાને પોતાની પુત્રવધૂ બનાવવાનો સંકલ્પ જાગ્યો હતો. પુત્ર પવનંજય માટે તેને અંજના ખૂબ જ અનુરૂપ લાગી.
જ્યારે રાજા મહેન્દ્ર તો ઝંખતો જ હતો! ગમતું હતું ને વૈધે બતાવ્યું! મહેન્દ્ર જરાય ખેંચતાણ કે આનાકાની વગર પ્રલ્લાદનું વચન માન્ય રાખ્યું. મલ્લાદના આનંદનો પાર ન રહ્યો.
એટલું જ નહિ, પરંતુ લગ્ન પણ ક્યારે કરવું તેનો નિર્ણય કરવા તરત પુરોહિતને બોલાવવામાં આવ્યા.
પુરોહિતજી! બહુ જ નજીકમાં આવતું હોય તેવું મુહૂર્ત કાઢી આપો.' રાજા મહેન્દ્ર કહ્યું અને પ્રલાદની સામું જોયું. પ્રલાદે પણ તેમાં પોતાની સંમતિ આપતાં કહ્યું : “હા, હા” બહુ વિલંબ કરવો સારો નહિ શુએ .
જોષીએ પણ વિચાર્યું કે અહીં હું સુંદરમાં સુંદર મુહુર્ત કાઢીને બતાવીશ, પરંતુ જો મોડું હશે તો આ રાજાઓને પસંદ નહિ પડે. માટે બહુ ઊંડાણથી ન જતાં ઉપરછલ્લે જોઈને કહી દેવું વધુ હિતાવહ છે. નક્ષત્ર, યોગ વગેરે થોડુંક જોઈને જેપીએ કહ્યું :
આજથી ત્રીજા દિવસે લગ્નનું મુહૂર્ત આવે છે.' સરસ સરસ!' બંને રાજાઓ બોલી ઊઠયા,
જીવની કેવી અજ્ઞાન દશા છે! બંને રાજાઓ એ ભાવિની, ભયંકર હોનારત ક્યાંથી જાણી શકે? એમને ખ્યાલ નથી કે આ મુહૂર્ત લગ્નગ્રંથિથી પુત્ર-પુત્રી જોડાશે તો તેનું પરિણામ દારણ વિખવાદમાં આવવાનું છે!
સુખના દિવસોમાં રાચતા-માચતા જીવને સમજ નથી કે છાંયડા પછી તડકો આવવાનો છે! ફૂલની સાથે કાંટા લાગેલા હોય છે!
For Private And Personal Use Only