________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાક્ષસદ્વીપ-વાનરદ્વિીપ
છતાય જો આપ યુદ્ધ કરશો તો પુત્રીનું મન કેટલું બધું દુભાશ? હવે તો પુત્રીના માનસિક અભિપ્રાય અનુસાર શ્રીકંઠ સાથે તેના લગ્નનો મહોત્સવ કરવો તે જ સુયોગ્ય છે.”
દૂતની વાત હજુ ચાલી રહી છે, ત્યાં તો પદ્માએ મોકલેલી એક પ્રૌઢ સ્ત્રી ત્યાં આવી અને પમાની વિનંતી રાજા સમક્ષ રજૂ કરી :
પિતાજી! ખરેખર, હું જાતે જ શ્રીકંઠને વરી છું; મારે તેમણે અપહરણ નથી કર્યું, તો નાહક શા માટે યુદ્ધ કરીને લાખો જીવોનો નાશ કરવો?'
આ સાંભળીને વિદ્યાધરેશ પુષ્પોત્તરનો પ્રકોપ પ્રશાંત થઈ ગયો. વિચારવિચક્ષણ પુરુષોનો પ્રકોપ મોટે ભાગે સહેલાઈથી શાંત કરી શકાય છે. જ્યારે જડ પક્ષના પ્રકોપને શમાવવો ઘણો કઠિન હોય છે. - પુષ્પોત્તરે વિચાર્યું : મારી પુત્રી જ સ્વયં શ્રીકંઠને વરી છે. વળી, શ્રીકંઠ ભલે શત્રુપુત્ર છે છતાં વીર અને ગુણી છે, તો ભલે તે બન્નેનો વિવાહ થઈ જતો!'
પુષ્પોત્તરની યુદ્ધયાત્રા વિવાહયાત્રામાં પલટાઈ ગઈ. કીર્તિધવલ દબદબાપૂર્વક પુષ્પોત્તરશો નગરપ્રવેશ કરાવ્યો. મહાન મહોત્સવ ઊજવી શ્રીકંઠ-પમાનો વિવાહ કયાં અને પુષ્પાંત્તર રાજા રત્નપુર તરફ પાછો વળ્યો.
પ્રભાતનો સમય છે. કીર્તિધવલ, શ્રીકંઠ અને દેવી એક સુશોભિત ખંડમાં બેઠાં છે. કીર્તિધવલ શ્રીકંઠના સામું એકીટસે જઈ રહેલ છે.
હવે અહીંથી જઈશ.' શ્રીકંઠે કહ્યું.
હવે મેઘપુર જવાની શી જરૂર છે? વૈતાઢચ પર્વત પર તમારા ઘણા દુશ્મનો ઊભા થયા છે, નાહક લડાઈઓ લડી લડી જીવન બરબાદ શા માટે કરવું? તમને શત્રુઓનો ભય છે એમ મારે નથી કહેવું, તમે શત્રુઓનો પૂરો સામનો કરી શકો એમ છો, છતાં તમને અહીંથી જવા દેવા મારું મન માનતું નથી. તમારી સાથેનો ગાઢ સ્નેહ તમારા જવાથી કેટલું દુઃખ આપશે, તેની કલ્પના પણ મને ધ્રુજાવી મૂકે છે. માટે જવાનું તો માંડવાળ જ કરો.'
હા, હવે તો અહીં જ રહ.' બહન દેવીએ પણ આગ્રહ કર્યો. ‘ભલે અહીં રહેવું ઠીક ન લાગતું હોય તો રાક્ષસદ્ધપની બાજુમાં વાનરદ્વીપ છે. બીજા પણ બર્બરકુલ, સિંહલદ્વીપ વગેરે આપણા દ્વીપો છે. જાણે સ્વર્ગભૂમિના નમૂના જ જોઈ લો! તે પ્રદેશોમાંથી કોઈ પણ એક સ્થળે રાજધાની કરીને તમે રહો.'
For Private And Personal Use Only