________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
જૈન રામાયણ રાવણ ખરેખર તો રથનૂપુરના ઈન્દ્રરાજાને પરાજિત કરવા નીકળ્યો હતો. પરંતુ વચમાં આવતા રાજાઓને પણ આજ્ઞાવત બનાવવાની એની કામના અદમ્ય હતી. નલકુબેર ઇન્દ્રની બનાવટી રાજ્યવ્યવસ્થામાં દિપાલના સ્થાને હતો. એક બાહોશ અને બુદ્ધિશાળી રાજા હતો. તેને સમાચાર તો મળી ચૂક્યા હતા કે રાવણ પોતાના નગર પર ત્રાટકવાની છે. એટલે તેણે દુર્લંઘપુરની આસપાસ “આશાલી' નામની વિદ્યાના બળથી અગ્નિમય કિલ્લો બનાવી દીધો અને એ કિલ્લા પર એવાં યંત્રો ગોઠવ્યો કે જે યંત્રોમાંથી અગ્નિજ્વાલાઓ નીકળ્યા જ કરે!
પોતે કોટની અંદરના ભાગમાં પોતાના વિશાળ સૈન્યની સાથે સજ્જ થઈને ઊભો હતો. આ બાજુ કુંભકર્ણની આગેવાની નીચે પ્રચંડ રાક્ષસસૈન્ય દુર્લવપુરની બહાર ઊતરી ગયું. દુર્લઘપુરની ચારેકોર ભયાનક અગ્નિજ્વાલાઓ જોઈ કુંભકર્ણ છંછેડાઈ ગયો. ‘બિભીષણ' કેમ?' નલકુબેર બડો લુચ્ચો લાગે છે. સમજાતું નથી કે આવી ભયાનક અગ્નિખાઈ ઓળંગીને કેવી રીતે નગરની અંદર પ્રવેશ કરવો?' ‘આજે આપની બુદ્ધિની કસોટી છે, મોટાભાઈ! બિભીષણે ટીખળ કરી.
બેસ બેસ, મોટો બુદ્ધિશાળી નીકળી પડયો,” કુંભકર્ણ છંછેડાઈ પડ્યો. સુગ્રીવ, ખર વગેરેને બોલાવી કુંભક ગંભીર મસલતો ચલાવી, પરંતુ કોઈ જ માર્ગ સૂઝર્યા નહિ. કુંભકર્ણ ધૂંઆપૂંઆ થઈ ગયો, પરંતુ થાય શું? બિભીષણ તો એની છાવણીમાં સ્વચ્છ વસ્ત્ર પહેરી, પરમાત્માના ધ્યાનમાં પરોવાઈ ગયો હતો. કુંભક બિભીષણને શોધે છે, પરંતુ તે મળતો નથી. શોધતા શોધતા તે બિભીષણના નિવાસમાં પહોંચ્ય.
અલ્યા ભગતડા, અહીં યુદ્ધ કરવા આવ્યો છે કે આ ઢાંગ કરવા? લ્યો, આ બેઠા માળા જપવા...” ‘કેમ, યુદ્ધકુશળ મોટાભાઈ ?' સહેજ સ્મિત કરીને બિભીપણું કહ્યું. “આ અમે લમણાફોડ કરીએ ને તમે મોટા મહારાજા... બોલ તો ખરો, હવે શું ઉપાય કરવો?'
મહાસેનાપતિ તો આપ શ્રીમાન છો!'
For Private And Personal Use Only