SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. રાવણની શીવરક્ષા કરી રાવણ સમગ્ર પરિવાર સાથે મેરુપર્વત પર પહોંચ્યો. પાંડુક વનમાં રહેલા ગગનચુંબી જિનમંદિરોને ભાવપૂર્વક નીરખી રાવણ અપૂર્વ આનંદ અનુભવી રહ્યો. તે ભવ્ય સંગીતમય પૂજા-મહોત્સવ ઊજવ્યો. પોતાની મહાન ઋદ્ધિસમૃદ્ધિનો જિનપૂજનમાં ઉપયોગ કરી તેણે મહાન સુકૃત ઉપામ્યું. સુવર્ણાચલના એક શિખર પર રાવણ પોતાના પરિવારથી વીંટળાઈને બેઠો હતો. ખરેખર! આજે પ્રભુભક્તિમાં અપૂર્વ રંગત જામી...' રાવણનું ભક્તિવૈલું હયું નાચી ઊઠડ્યું હતું. તે બોલ્યો : “આજે તો આપ પૂરબહારમાં હતા મોટાભાઈ!” બિભીષણે અનુમોદન કર્યું. જીવનમાં આના સિવાય બીજું કયું ઉચ્ચ કર્તવ્ય છે, બિભીષણ! મને તો એમ થાય છે કે બસ જિનમંદિરમાં જ બેસી રહું-' રાવણનું અંતઃકરણ બોલી રહ્યું હતું. ત્યાં એક અચર આવ્યો અને રાવણના કાનમાં કંઈક કહી ચાલ્યો ગયો. રાવણના મુખ પર ગંભીરતા છવાઈ, તે ઊભો થયો અને પોતાની છાવણી તરફ વળ્યો. પાછળ કુંભકર્ણ, બિભીષણ, સુગ્રીવ, ખર... વગેરે પણ મનપણે ચાલ્યા આવ્યા અને રાવણના નિવાસમાં પ્રવેશ્યા. કુંભકર્ણ.' “મોટાભાઈ...!' સમાચાર મુજબ આપણે પહેલાં દુર્લઘપુરના નલકુબેરને પરાજિત કરવો જોઈએ. તે..” એમાં વળી આટલો બધો વિચાર શા માટે કરવાનો? આપ આજ્ઞા કરો એટલી વાર!' કુંભકર્ણ સહર્ષ બોલી ઊઠ્યો. રાવણ મૌન રહ્યો. મોટાભાઈ, આપને આવવાની જરૂર નથી, અમે જ નલકુબેરનો મુકાબલો કરી લઈશું.' બિભીપણે રાવણના મુખ પરના ભાવો સમજી લઈ કહ્યું. તેણે રાવણની ઇચ્છા અહીં વધુ રોકાવાની અને પ્રભુભક્તિમાં સમય વ્યતીત કરવાની જોઈને પ્રત્યુત્તર આપ્યો. સરસ! તો તમે તેયારી કરો. હું અહીં રોકાઈશ'દુર્વેધપુર જવા આજ્ઞા કરી. જોતજોતામાં વિરાટ સૈન્ય યુદ્ધસજ્જ બની ગયું અને આકાશમાર્ગે પ્રયાણ પણ થઈ ગયું. For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy