________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાક્ષસદ્વીપ-વાનર દ્વીપ
દેવી એટલે દવી જ જોઈ લ્યો! રૂપરૂપનો અંબાર!
દવી વીવનમાં આવી ત્યાં તો તનું સૌન્દર્ય સોળે કળાએ ખીલ્યું. દેવીના રૂપની પ્રશંસા દેશવિદેશમાં થવા લાગી. એક દિવસ અતીકની રાજ્યસભામાં એક દૂત આવીને ઊભો રહ્યો. રત્નપુરનગરના પુષ્પોત્તર વિદ્યાધરેન્દ્રનો એ દૂત હતા. અતીન્દ્રને તેણે નમન કર્યું. ‘શા માટે આવવાનું થયું છે?' દૂતને યોગ્ય આસને બેસાડીને નરેશે પૂછયું. ‘મને રત્નપુરનગરના પુષ્પોત્તર વિદ્યાધરેન્દ્ર મોકલ્યો છે.” 'હા, પણ શા માટે?” ‘અમારા વિદ્યાધરેજને પમોત્તર નામનો તેજસ્વી પુત્ર છે. રૂપે અને ગુણે પૂરો છે. તે પુત્રની સાથે તમારી દેવીનો વિવાહ થાય તો સરખેસરખી જોડી થાય.'
દૂતની વાત સાંભળી અતીન્દ્ર ક્ષણભર વિચારમાં પડી ગયો. સ્વસ્થ થઈ તેણે દૂતને કહ્યું :
‘વારુ, હું વિચારી જોઈશ.' રાજાનો ટૂંકો પ્રત્યુત્તર લઈ, દૂત ત્યાંથી રવાના થઈ ગયાં.
અતીન્દ્ર વિઘાનરેશ દેવોને માટે યોગ્ય પતિની ચારે કોર તપાસ કરાવી. ત્યાં તેની દષ્ટિ લંકા પર પડી. લંકામાં ત્યારે રાક્ષસેશ્વર કીર્તિધવલ રાજા હતો. તેની ઉજ્વલ કીર્તિએ અતી ને આકર્યો. દેવીનું લગ્ન કીર્તિધવલ સાથે કર્યું. ગુણવંત અને ઘીમંત પદ્મોત્તર, રાજપુત્રી દેવીને મેળવવા સમર્થ ન બન્યો! અતીન્દ્ર અને પદ્મોત્તરના પિતા પુષ્પોત્તર વચ્ચે વૈરની ગાંઠ બંધાણી.
(3) દેવીના ભાઈનું નામ શ્રીકંઠ હતું.
સુવર્ણાચલની યાત્રા કરી, શ્રીકંઠ આકાશમાર્ગે મેઘપુર પાછો ફરી રહ્યો હતો ત્યારે વચ્ચે આવ્યું રત્નપુર. સોહામણા ઉદ્યાનમાં તેણે એક નવયૅવના રૂપસુંદરી જોઈ. શ્રીકંઠની આંખોએ એ સુંદરીનાં રૂપનું ધરાઈ ધરાઈન સાંદર્ય પાન કર્યું. પોતાની તરફ એકીટસે પ્રેમભરી આંખે જોતા જુવાન પ્રત્યે પેલી યુવતી પણ આકર્ષાઈ.
પરસ્પર આંખો મળી, પરસ્પર હૃદય મળ્યાં. પરસ્પરના ભાવ ભેટ્યા! મનમાં વિકારનાં અંકુરો ફૂટ્યાં, પાંગર્યા, અને ફળના ફણગા ય ફૂટ્યા. ઊંચી ડોકે યૌવનાએ શ્રીકંઠ તરફ મધુર ષ્ટિએ જોયા જ કર્યું.
For Private And Personal Use Only