SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નારદજીનો ભેટો ૧૦૩ હવે આમને ભણાવવાથી સર્યું, અત્યાર સુધી મેં વ્યર્થ અધ્યાપન કરાવ્યું, પરંતુjપશો યથાપાત્ર પરિમે વર્ષનું પાણી જેવા સ્થાનમાં પડે તે મુજબ પરિણમે છે. સર્પના મુખમાં પડેલું જલબિંદુ ઝેર બને છે, કૂવામાં પડેલું પાણી મીઠું બને છે, સાગરમાં પડેલું ખારું બને છે. પુત્ર પર્વત મને પ્રિય છે ત્યારે એના કરતાંયે વસુ અધિક પ્રિય છે. તે બંને જ નરકગામી તો હવે ઘરવાસમાં રહેવાથી સર્યું...' ઉપાધ્યાયનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીન બન્યું. ખરેખર! ગુરુદેવને વૈરાગ્ય વધતો ચાલ્યો. તેમણે એક દિવસ ઘરવાસ ત્યજી અરણ્યવાસ સ્વીકાર્યો. ગુરુદેવ ચાલ્યા ગયા પછી મને જરાય ચેન ન પડવા લાગ્યું. ગુરુદેવની કૃપાથી મેં સર્વ શાસ્ત્રોમાં પ્રવીણતા મેળવી લીધી હતી. હું મારા સ્થાને પહોંચી ગયો. રાજપુત્ર વસુ પણ પોતાની રાજધાનીમાં ગયો. ગુરુદેવને સ્થાને પર્વત બેઠો. આમ અમે ત્રણેય જુદા પડી ગયા. અભિચન્દ્ર રાજા એક દિવસ રાજપાટ ત્યજી દઈ સાધુ બન્યા. શક્તિમતી નગરીના રાજસિંહાસને વસુનો રાજ્યાભિષેક કરવામાં આવ્યાં, વસુરાજા દિનપ્રતિદિન પૃથ્વી પર સત્યવાદી તરીકે પ્રસિદ્ધ બનતો ગયો, બુદ્ધિ, શક્તિ અને સત્યથી તેણે સમસ્ત ભૂમંડલને આકર્ષે. એક વખતની વાત છે. શિકારીઓનો એક સમૂહ શિકાર કરવા અરણ્યમાં ગયો. તેણે એક મૃગને પોતાના શિકારનું લક્ષ્ય બનાવ્યું. પરંતુ ચપળ અને ચંચળ મૃગ શિકારીઓને જઈને ચારે ય પગે ઊછળીને ભાગવા માંડયું. શિકારીઓએ મૃગનો પીછો પકડ્યો. મૃગ વિંધ્યાચલની ખીણમાં અદશ્ય થયું. શિકારી પણ અત્યંત વેગથી ખીણમાં પ્રવેશ્યો. શિકારીએ ધનુષ્ય પર તીર ચઢાવ્યું. કાન સુધી દોરી ખેંચી, સનનનન કરતું તીર મૃગ તરફ છોડ્યું. પરંતુ આશ્ચર્ય! તીર વચ્ચે જ કોઈ અદશ્ય પદાર્થ સાથે અથડાયું અને ભાંગીને ચૂરો થઈ ગયું. શિકારી જ્યાં તીર ભાંગીને પડ્યું ત્યાં આવી પહોંચ્યો અને તીર કોની સાથે અથડાયું, તે તપાસવા તો હાથ લંબાવ્યા, તેના હાથ એક અદશ્ય શિલાને અડક્યા. તેણે ઊંચે, નીચે હાથ ફેરવીને માપી જોયું કે શિલા કેવડી છે! શિકારીએ વિચાર્યું : “આકાશના જેવી સ્ફટિકમય શિલા છે, અડક્યા વિના કોઈ સમજી ન શકે કે આ શિલા છે!' જરૂર આ રાજા વસુના માટે સુયોગ્ય છે. જઈને હું મહારાજાને વાત કરું..! શિકારીએ નગરમાં આવી મહારાજા વસુને સ્ફટિકમય શિલાની વાત કહી. વસુ શિકારી પર પ્રસન્ન થયો. ગુપ્ત રૂપે તેણે શિકારી દ્વારા શિલાને મહેલના એક For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy