SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ જૈન રામાયણ આજ્ઞા આપે ખરા? જરૂર, જરૂર એ કૃપાનિધિ ગુરુદેવે અમારા ત્રણેયની પ્રજ્ઞાની પરીક્ષા કરવાનો જ, આ એક પ્રસંગ પ્રયોજ્યો લાગે છે!” ટગમગતા તારલાઓ અને ઝાંખો ઝાંખો ચન્દ્ર જાણે મારા વિચારમાં સંમતિ આપતા હસી રહ્યા હતા. મેં કૂકડાને માર્યો નહિ; હું આશ્રમ તરફ પાછો વળ્યો. હાથમાં કુકડો લઈને હું ગુરુદેવની સમક્ષ ઉપસ્થિત થયો. કૂકડાને માર્યા વિના મને આવેલો જોઈ સ્ટેજ ઉગ્ર અવાજે મને કહ્યું : ‘કેમ, તને શું આજ્ઞા નહોતી કરી?” ગુરુદેવ! આપશ્રીની આજ્ઞા મુજબ જ મેં કર્યું છે.' સ્વાભાવિક રીતે જ પ્રત્યુત્તર વાળ્યો. મેં તો તને કૂકડો મારીને લાવવાનું કહ્યું હતું.' પણ આપશ્રીએ સાથે શરત મૂકી હતી ને! કે જ્યાં કોઈ જોતું ન હોય ત્યાં કૂકડાને મારવો.” હા, તે શું તને એવી જગા ન મળી?” ના, ગુરુદેવ!” મેં અરણ્યમાં કરેલું ચિંતન, વિચારણા ગુરુદેવને કહી સંભળાવી. ગુરુદેવના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. વાસ્તવમાં એ કુકડો લોટનો હતો ને લાક્ષારસથી ભરેલો હતો. તેઓ બોલી ઊઠ્યા : સરસ! સરસ!' અને મને છાતી સરસો ચાંપી, ગાઢ આલિંગન કર્યું. તેઓશ્રીને નિર્ણય થયો કે “જરૂર આ વિદ્યાર્થી મોક્ષગામી છે.” ત્યાં તો પર્વત અને વસુ આવી પહોંચ્યા. ગુરુદેવને પ્રણામ કરી તેમણે કહ્યું: ‘આપની આજ્ઞા મુજબ અમે કુકડા મારીને પાછા આવ્યા છીએ.' “અરે મેં કઈ જગાએ મારવાનું કહ્યું હતું? ‘કોઈ ન જોતું હોય તેવી જગ્યાએ જ અમે કૂકડાને મારીને આવ્યા છીએ.' “અરે પાપાત્માઓ, શું તમે જોતા હતા કે નહિ? અસંખ્ય તારાઓ અને લોકપાલો જોતા હતા કે નહિ?' ક્ષીર કદંબ ઉપાધ્યાયને ખેદ, ચિંતા અને વ્યગ્રતાનો પાર ન રહ્યો. જ્યારે રાજપુત્ર અને સ્વપુત્ર પર્વત નરકગામી . આ વાત સમજાઈ ત્યારે તેમણે એક સખત આંચકો અનુભવ્યો. તેમણે વિચાર્યું : For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy