________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૪
www.kobatirth.org
‘હૈં ?’ રાવણ વિહ્વળ બની ગયો. ‘હા, દેહનું પણ પ્રયોજન નથી...’
‘એટલે?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
'હું પરમકલ્યાણી પિતાને ચરણે જઈશ. હું પિતા પાસે મહાવ્રતો લઈશ.’ રાવણના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ. સભામાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. સહસ્રકિરણનો આ નિર્ણય પ્રત્યેક રાક્ષસવીરને આશ્ચર્યની સાથે મહાન ગ્લાનિ જન્માવનાર હતો. સહસ્રકિરણના ઉચ્ચતમ્ વ્યક્તિત્વથી કોણ નહોતું આકર્ષાયું? એ સહસ્રકિરણના અજેય પરાક્રમથી કોણ નહોતું અંજાયું? એ સહસ્રકિરણ શું, સર્વસ્વનો ત્યાગ કરી ચાલ્યો જશે? સંયમની કઠોર સાધનાઓ કરશે?
રેવાનાં પુર ઓસરી ગયાં. પંખીઓના અવાજ બંધ થઈ ગયા. મને બરાબર સમજાય છે, નિર્વાણનો આ જ એક મહામાર્ગ છે.’
‘દેહના માળખામાં પુરાયેલા આત્મતત્ત્વના આવિર્ભાવનો આ જ એક પરમ ઉપાય છે,’ સહસ્રકિરણનો નિર્ણય વધારે સ્પષ્ટ થતો ગયો.
રાવણની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં, આંસુઓથી ધરતી ભીંજાવા લાગી, નતમસ્તકે મૂંગે મોઢે રાવણ સહસ્રકિરણના અતિ ભવ્ય ત્યાગને સમજવા મથી રહ્યો.
‘સહસિકરણ આ શું કરી રહ્યો છે? એનો આ નિર્ણય જ્યારે એની એક હજાર પ્રિયતમાઓ, માહિષ્મતીનાં લાખો પ્રજાજનો જાણશે ત્યારે કેવું કરુણ આક્રંદ કરશે? કેવા ઊંડા શોકના સમુદ્રમાં ડૂબી જશે?' રાવણનું મનોમંથન લાંબું ચાલે ત્યાં તો સહસ્રકિરણે રાવણના ખભે હાથ મૂક્યો; બંનેની દૃષ્ટિ મળી. રાવણે સહસ્રકિરણને બાથમાં લઈ લીધો અને ગરમ ગરમ આંસુથી અભિષેક કર્યો.
For Private And Personal Use Only
સહસ્રકિ૨ણે પોતાનો નાનો પુત્ર રાવણને સોંપ્યો.
અને ત્યાં જ એ ચરમદેહી નરેશ્વરે મુનિ પિતાનાં ચરણોમાં જીવન સમર્પણ કર્યું. તેણે સંસારવાસને ત્યજીને, સંયમના દુષ્કર વ્રતને ધારણ કર્યાં.
રેવાનો તટ ત્યારે માહિષ્મતીનાં લાખો પ્રજાજનોનાં ચોધાર આંસુઓથી ભીંજાઈ રહ્યો હતો. હજારો રાણીઓના હૃદયફાટ આક્રંદથી દ્રવી ઊઠો હતો. ત્યાં અચાનક સહસ્રકિરણ રાજર્ષિને એક સ્મરણ થયું. એક દૂતને બોલાવ્યો અને કહ્યું :
‘તમે અયોધ્યા જાઓ અને અયોધ્યાપતિ ‘અનરણ્ય’ને સમાચાર આપો, કે તમારા મિત્ર સહકિરણે આજે સંયમ સ્વીકાર્યું છે.’