________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેવાના તટે
૯૫ વાત એમ હતી :
અયોધ્યાપતિ અનરણ્ય અને સહસ્ત્રકિરણને પરમ મૈત્રી હતી. બંને મિત્રોએ નિર્ણય કર્યો હતો, કે બંનેએ સાથે સંયમ સ્વીકારવું જ્યારે એક દીક્ષા લે ત્યારે બીજાને સમાચાર આપવા અને બીજાએ પણ દીક્ષા લેવી.”
દૂત ઝડપથી અયોધ્યા આવી પહોંચ્યો. સીધો જ રાજમહેલમાં પહોંચી ગયો, અનરણ્ય રાજાને પ્રણામ કરી ઊભો રહ્યો.
ક્યાંથી અને શા માટે આવવાનું થયું છે?' રાજાએ પ્રશન કર્યો. ‘હું રેવાના તટ પરથી આવું છું અને માહિષ્મતીના રાજા સહસ્ત્રકિરણનો સંદેશ આપવા માટે આવ્યો છું.'
સહસકિરણનું નામ સાંભળતાં જ અનરણ્ય રાજા સિંહાસન પરથી ઊભો થઈ ગયો. દૂતનો હાથ પકડી પ્રેમથી અને આતુરતાથી પૂછે છે :
કહો, મારા એ પ્રિય મિત્ર કુશળતામાં તો છે ને?' દૂતની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અનરણ્ય રાજાની આતુરતા વધી ગઈ. દૂતનો ચહેરો જોતાં કંઈક અમંગળની આશંકાઓ થવા લાગી. ત્યાં દૂતે તોતડાતી જબાને કહ્યું :
મહારાજા સહસ્ત્રકિરણે આજે સંસારત્યાગ કર્યો.” એમ?” ખૂબ જ ગંભીર બની અનરણ્ય રાજા ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. તેમની સામે ભૂતકાળ તરવરવા માંડ્યો.
એ સમીસાંજના સમયે, સહકિરણની સાથે થયેલી જીવનના મૂલ્ય અંગેની માર્મિક અને રસભરપૂર વિચારણા. આ બન્નેનો નિર્ણય કરવો કે બંને સાથે સંસારત્યાગ કરવો.”
પોતાની પ્રતિજ્ઞાનું અનરણ્ય ભાન થયું. સહસ્ત્રકિરણની ધર્મમૈત્રીએ તેને પ્રતિજ્ઞાના પાલન માટે ઊભો કરી દીધો.
અનરાયે પોતાના પુત્ર દશરથને રાજ્ય સોંપ્યું અને ચારિત્રના મહામાર્ગે ચાલી નીકળ્યો.
આ બાજુ રાવણે શતબાહુ મહર્ષિ અને સહસ્ત્રકિરણ મહર્ષિને ભાવપૂર્વક વંદન કર્યા.
રાવણે પોતે માહિષ્મતીના રાજ્યસિહાસને સહસ્ત્રકિરણના પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને આકાશમાર્ગે પ્રયાણ આગળ લંબાવ્યું.
0 0 0
For Private And Personal Use Only