________________
૧૬
चतुर्दशपूर्व्वधरा अपि विषयासक्ततया पठन-पाठनादिव्यासङ्गाभावात् चतुर्दशाऽपि पूर्वाणि विस्मारयन्ति, ततो निगोदे भ्रमन्ति
- ઇન્દ્રિયપરાજયશતક - ૮૪
પરીક્ષામાં કાયમ પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ થતો હતો એ યુવક. પણ આ વખતની પરીક્ષાનું પરિણામ એના હાથમાં
આવ્યું અને એ ચોધાર આંસુએ રડી પડ્યો. કારણ ?
એનો નંબર પાછળ ચાલ્યો ગયો હતો એવું નહોતું બન્યું; પરંતુ પરીક્ષામાં એ નાપાસ જ થયો હતો ! પોતાની ધારદાર સ્મૃતિ પરના એના ભરોસાએ એને એક બાજુ અધ્યયન તરફ બેપરવા બનાવ્યો હતો તો બીજી બાજુ ક્રિકેટ પાછળ બેહદ પાગલ બનાવ્યો હતો.
એનું જ આ દુષ્પરિણામ આવ્યું હતું કે
પરીક્ષામાં એ નાપાસ થયો હતો.
મુનિ !
ચૌદ પૂર્વીના જ્ઞાનવૈભવનો તો તને ખ્યાલ છે ને ?
એ શ્રુતકેવળી કહેવાય છે.
સંખ્યાબંધ લબ્ધિઓ એમના ચરણોમાં આળોટતી હોય છે.
જિનશાસનના એ મહાપ્રભાવક હોય છે.
હજારો-લાખો આત્માઓને એ
સમ્યક્દર્શન, દેશવિરતિ,
સર્વવિરતિ યાવત્ કેવળજ્ઞાન સુધીના ગુણોનું દાન કરી શકતા હોય છે.
આવા મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય
કાળ કરીને નિગોદમાં રવાના થઈ જાય એવું તું કલ્પી શકે છે ખરો ?
૩૧
પણ, સાંભળી લે તું, એવું બનતું જ હોય છે. કારણ ?
એક જ, વિષયો પ્રત્યેની જાલિમ આસક્તિ.
પોતે ચૌદ પૂર્વધર હોય એટલે પ્રચંડ પુણ્યના સ્વામી તો હોય જ ને ? ભક્તવર્ગ ચિક્કાર. અનુકૂળતાઓ બેસુમાર. ગોચરી રસભરપૂર.
પ્રશંસા પાર વિનાની.
પ્રતિષ્ઠા ગજબનાક.
પ્રતિભા કલ્પનાતીત.
આઠેય નામકર્મનો ઉદય જોરદાર.
યશ નામ કર્મની બોલબાલા જોરદાર.
આ મદમસ્ત માહોલમાં જીવનમાંથી એ તપ-ત્યાગને આપી દે વિદાય.
સ્વાધ્યાયયોગને એ ચડાવી દે અભરાઈએ.
ન પઠન-પાઠન કે ન અધ્યયન-અધ્યાપન.
બસ, પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં બની જાય એ ગુમભાન.
એમના જીવનમાં કરુણતા પાછી એ સર્જાય કે
‘હું તો શાસન પ્રભાવક છું.
હજારો આત્માઓનો ઉદ્ધારક છું.
સદ્ગતિ દુર્ગતિનાં કારણોની મને પૂરી જાણકારી છે.
પ્રભુવચનો મારા રોમરોમમાં રમી ગયા છે.
બે-ચાર ભવમાં તો મારો મોક્ષ છે.
કર્મસત્તાની શિરોરીથી હું તો મુક્ત થઈ ગયો છું’
આવી ભ્રમણાના શિકાર બનીને એ લેશ પણ હિચકિચાટ વિના ભોગવતા રહે છે મળતી તમામ અનુકૂળતાઓને અને
ફળ સ્વરૂપે મરીને રવાના થઈ જાય છે એ નિગોદગતિમાં કે જ્યાં કદાચ અનંત અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી એ કેદ થઈને પડ્યા રહે છે. મુનિ!
ઇન્દ્રિયોના વિષયોનું તારા મનમાં આકર્ષણ હોય તો આ ‘નિગોદ’ નું સરનામું સતત આંખ સામે રાખજે.
૩૨