________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
સાગ૨દા કુમારનું મન ખિન્ન થઈ ગયું.... અંતઃકરણ વલોવાઈ ગયું.... તેની આંખો તો અનંત આકાશ તરફ જ છે... પરંતુ તેનું મન ભીતરમાં ઊતરી ગયું. વિખરાતા વાદળે કુમારના મનને ધક્કો મારી ભીતરમાં ઉતારી
દીધું.
ચિંતનમગ્ન કુમારને કોઈ વિક્ષેપ ન પડે. એટલા માટે પત્ની ધીરે ધીરે મહેલના અંદરના ખંડમાં ચાલી ગઈ. ઝરૂખામાં રહ્યો માત્ર એકલો કુમાર સાગર
સાગર ઘૂઘવવા લાગ્યું. સાગર ઊછળવા લાગ્યો. એ ઘુઘવાટ વિચારોનો હતો. એ ઉછાળ વિચારોનો હતો.
જેમ સંધ્યાના રંગો અને વાદળની આકતિઓ ક્ષણિક છે, તેમ આ જીવન.. આ યૌવન... આ વૈષયિક સુખો... શું ક્ષણિક નથી? મહાકાળનો પ્રચંડ સુસવાટો વાતાં જ આ બધું, હતું ન હતું નહીં થઈ જાય?”
પૂર્વજન્મમાં વાવેલાં વિચાર-બીજ નષ્ટ નથી થતાં... તે આત્માની ભૂમિમાં રહે છે... નિમિત્ત મળતાં એ બીજ અંકુરિત થાય છે. ભવદત્ત મુનિના ભવમાં ભાવેલી સતત વૈરાગ્ય ભાવનાનાં બીજ, સાગરના ભવમાં અકબંધ પડેલાં છે! વિખરાતા વાદળના નિમિત્તે એ બીજમાં વિસ્ફોટ કર્યો.... ને અંકુર પેદા થયા.
રાગની માટીને ભેદીને અંકુર દેખા દે છે. બીજ ભલે માટીમાં દટાયેલું રહે, અંકુર માટીમાં દબાયેલો ન રહે.
આ રાજ્ય... આ વૈભવ. આ પ્રિય સ્વજનોનો સંયોગ, બધું જ ક્ષણિક છે; નાશવંત છે, અનિત્ય છે. હું ક્ષણિક પર રાગી બન્યો છું... શાશ્વતની ભ્રમણામાં અટવાઈને... ના, ના, આ બધું જે મને દેખાય છે તે ક્ષણિક છે. સારું થયું, આજે મારી ભ્રમણા ભાંગી ગઈ. ક્ષણિક ક્ષણિક સમજાઈ ગયું.... નહીંતર જ્યારે ર બધું નાશ પામી જાત ત્યારે હું દુઃખી દુઃખી થઈ જાત! મારો રાગ, મારો મોહ મને દુઃખી કરી દેત...'
વૈરાગ્યનો અંકુર વિકસતો જાય છે, પુષ્ટ થતો જાય છે.
પ્રિયજનોનો સંયોગ વિયોગમાં પરિણમે છે. સંયોગમાં મેં સુખ માન્યું... વિયોગ થતાં હું દુઃખી થઈ જાત.. ના, ના, હું હવે સ્વેચ્છાથી વિયોગ સ્વીકારી
For Private And Personal Use Only