________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯o
એક રાત અનેક વાત કષ્ટ પહોંચાડ્યું છે. તેં અમને ક્ષમા આપી જ દીધી છે. છતાં અમે બન્ને પુનઃ પુનઃ ક્ષમાયાચના કરીએ છીએ. - વત્સ, તેં અનશન કરવાનો શુભ સંકલ્પ કરીને મૃત્યુને મહોત્સવરૂપ બનાવ્યું છે. તું સમતા-સમાધિમાં લીન જ છે. તારું ઊર્ધ્વગમન નિશ્ચિત જ છે. હે મહાત્મનું! તારો માર્ગ કુશળ હો.”
- માઘ શુક્લા પંચમીની વહેલી સવારે, બ્રાહ્મ મુહૂર્તમાં શિવકુમારનો આત્મા જૂનું ને જીર્ણ દેહમંદિર ત્યજી ગયો. પાંચમા દેવલોક (બ્રહ્મદેવલોકોમાં એનો જન્મ થયો. તેનું નામ વિદ્યુમ્ભાલી!
- કુમારના સ્વર્ગવાસ પછી તરત જ ધર્મેશની સાથે શેઠ-શેઠાણી અને ધર્મેશની પત્નીએ ચારિત્રધર્મ સ્વીકાર્યો.
- શલાએ પણ સંયમમાર્ગે પ્રયાણ કર્યું.
- સંસારવાસમાં રહેલાં રાજા-રાણીએ શ્રેષ્ઠ કોટિનું શ્રાવકજીવન જીવીને દેવગતિ પ્રાપ્ત કરી.
For Private And Personal Use Only