________________
૧૯
૧૭ મન ‘આળું અને જીવન ‘ઉતાવળું’ આજના કાળના આ બે કલંકથી જાતને
સતત બચાવતા જ રહેજો.
- આપણાં સારા કામ વખતે ખરાબ માણસો એલફેલ
બોલવા લાગે તો ડરવા જેવું નથી એ વાત તો બરાબર છે પણ આપણાં ખરાબ કામ વખતે સારા માણસો મૌન થઈ જાય તો અચૂક ડરવા જેવું છે.
૧૮ એકસો ભૂલ કર્યા પછી ય જીવન
સુધારી શકાય છે પરંતુ એકાદ ભૂલનો પણ બચાવ કરતા રહ્યા
બાદ જીવનને બગડતું અટકાવવું
બહુ મુશ્કેલ બની જાય છે.
સારાને ‘સારું માનવા મન તૈયાર ન પણ થતું હોય
તો ય એટલા માત્રથી જીવન બગડી જવાનું નિશ્ચિત્ત નથી પણ જો ખરાબ “સારું લાગી ગયું
તો નિશ્ચિત્ત સમજી રાખજો કે જીવન બરબાદ થઈને જ રહેવાનું છે.
નિયમ કોઈના પણ ઘરમાં કે જીવનમાં કલહની આગ પ્રગટી હશે તો એ આગમાં પેટ્રોલ છાટવાનું અધમતમ કાર્ય
હું તો ક્યારેય નહીં કરું.
નિયમ માતા-પિતાને આખા દિવસમાં એકવાર તો
હું નમસ્કાર કરીશ જ.