________________
૧૬૫
સંકટ નબળા મનવાળાને તોડી નાખે છે. બળવાન મનવાળો સંકટના સમયમાં ‘રેકોર્ડ’ તોડી નાખે છે.
૧૬ ૬
ભગવાનના દુશ્મનથી આપણે દૂર રહીએ અને આપણને ભગવાન બનતા અટકાવે
એવા વિચારો સાથે આપણે મૈત્રી જમાવેલી રાખીએ એ શું ચાલે ?
1 નિયમ
કોઈ પણ ધર્મના કોઈ પણ ધાર્મિક પર્વને
‘વિલાસ’થી તો હું ક્યારેય નહીં અભડાવું.
200
૧૬૭
સિગરેટનો વ્યસની જો કૅન્સરની આગાહીની પરવા કરવા ય તૈયાર થતો નથી તો સુકૃતોનો વ્યસની કષ્ટોની પરવા કરવા ય ક્યાં તૈયાર હોય છે ?
૧૬૮
પોતાના ધનની ચાવી જો પોતાની પાસે હોવી જોઈએ તો પોતાના ચિત્તની પ્રસન્નતાની ચાવી પણ પોતાની પાસે જ હોવી જોઈએ ને ?
નિયમ
ટૅક્સી, રિક્ષા કે બસમાંથી ઊતર્યા બાદ શક્ય હશે તો ડ્રાઇવરને આભારના બે શબ્દો કહીને જ રહીશ.