________________
૫૭
પ્રભુ પ્રત્યેનો પ્રેમ, જીવો પ્રત્યેના પ્રેમથી મનને બચાવતા રહેવાનો વિકલ્પ ન બની જાય એની ખાસ તકેદારી રાખજો.
૫૮
પાપ કરતાં જે ડરે,
પાપ કર્યા બાદ જે રડે, પાપ એનાં અચૂક ખરે.
A1 - નિયમ
પ્રભુનાં દર્શન-વંદન કે પૂજન જે દિવસે રહી જશે એના બીજે દિવસે ઘીનો ત્યાગ કરી દઈશ.
200
૧૫
૫૯
હૃદય પરિવર્તન જીવનને પાપના પુનરાવર્તનથી બચાવી લે છે.
Fo
માણસ મરી જવા તૈયાર થઈ જાય પરંતુ પોતાનો ખરાબ સ્વભાવ સુધારવા તૈયાર ન થાય એને એની મૂર્ખાઈ ન કહેવાય તો બીજું શું કહેવાય ?
નિયમ
નરમ સ્વાસ્થ્યના હિસાંબે કોકને ત્યાં જવાનું બનશે તો ય એના ઘરે ચા-નાસ્તો તો હું નહીં જ કરું.