SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ જીવનની વ્યવસ્થા બદલવાની ના નથી પણ મનની અવસ્થા બદલાવ્યા વિના જ જીવનની વ્યવસ્થા બદલાવી દેવાના પ્રયાસોમાં સફળતા કેટલી મળશે એ લાખ રૂપિયાનો પ્રશ્ન છે. પપ દુઃખ, ગયા જનમના ‘પાપ'ની જાહેરાત તો કરે જ છે. સુખ, આવતા જનમના “દુઃખનું ‘રિઝર્વેશન’ કરનારું ન બની રહે એની ખાસ તકેદારી રાખજો. ૫૪ સંપત્તિ વાપરતા જેને નથી આવડતું એ માણસ તો આપણને દયનીય લાગે જ છે પરંતુ સમય વાપરતાં આપણને ખુદને નથી - આવડતું. આપણી જાત આપણને દયનીય લાગી ખરી ? શરીર, સૌથી વધુ ઇમાનદાર ! ભૂલ ભલે અંધારામાં કરી હશે, અજવાળામાં ય એનું પરિણામ દેખાડશે. મન, સૌથી વધુ બેઇમાન ! ગરબડ ભલે અજવાળામાં જ કરી હશે, કબૂલ કરવા એ તૈયાર જ નહીં થાય.. કાર નિયમ નિયમ જે ધંધામાં હિંસા ઘણી હશે એ ધંધામાં હું ક્યારેય દાખલ થઈશ નહીં. પોતાના પર આવેલ તકલીફ - અગવડ કે દુઃખની વાત કરવા કોઈ મારી પાસે આવશે તો એને ઓછામાં ઓછી દસ મિનિટ તો હું આપીશ જ.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy