SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ આ સંસ્થાઓ બંધો બાંધવામાં એટલા માટે રસ ધરાવે છે કે તેથી કરોડો ગામડાના લોકોની બારમાસી નદી સુકાઈ જવાની છે, તેથી તે લોકો કાયમ માટે તરસ્યા રહીને મરવાના છે. આમ થતાં લાખો ગામડાંઓ ભાંગી જવાનાં છે. બંધોથી ધરતીકંપો થવાના છે. પચાસ વર્ષ બાદ પુષ્કળ કાંપ વગેરેનો ભરાવો થતાં તે બંધો સાવ નકામા થવાના હોવાથી પ્રજા નદીથી અને બંધથી - બે ય રીતે - ભ્રષ્ટ થઈને ઝેર ખાવાની છે. બંધોમાં મત્સ્યોદ્યોગ વિકસાવવાનો હોવાથી પ્રજા માંસાહારી બનવાની છે. બંધોથી પાણીને ભરી લેવાના હોવાથી સરકાર પાણી પણ વેચીને પૈસા કમાતી થતાં ગરીબ ખેડૂતો બાપડા સૈકાઓથી મળતું વહેતી નદીનું મફત પાણી સદા માટે ખોઈ બેસીને ભિખારી બનવાના છે. બંધના પાણીથી જો સો ગામને ખેતીમાં લાભ થવાનો હોય તો ય લાખો ગામોને નદી-જળ મળતાં બંધ થતાં તે બધા બેહાલ થઈ જવાના છે. બંધોથી વૃક્ષોના અને વનોના વિચ્છેદ થતાં વરસાદમાં અવરોધ ઉત્પન્ન થવાનો છે. દુષ્કાળો પડવાના છે. ક્યારેક અતિવૃષ્ટિ થઈ તો બંધો ઊભરાતાં સેંકડો ગામડાંઓ ઉપર પાણી ફરી વળીને પારાવાર નુકસાન કરવાના છે. બંધો તો બંધાય છે; સિમેન્ટ, લોખંડ વેપારીઓને અબજો રૂ.ની કમાણી કરી લેવા માટે; મત્સ્યઉદ્યોગ માટે, માનવસંહાર કરતી ફેકટરીઓને ઈલેકટ્રીક પૂરી પાડવા માટે. - વિજ્ઞાન એટલી બધી પ્રગતિ કરી ચૂક્યું છે કે એને સ્ત્રીને પુરુષ બનાવતાં; અને પુરુષને સ્ત્રી બનાવતા પણ આવડે. તે રોબોટ બનાવી જાણે, તે સુપર-કોમ્યુટર બનાવી જાણે. તો શું તે તેવા પાવડરો (પોપેયે વગેરે) ન બનાવી શકે જેમાંના કેટલાક પાણી ભરેલા કાળા ડીબાંગ વાદળોની ઉપર પડીને તે વાદળોના પાણીને બાળી નાંખે. અને જે તે દેશોમાં ભયંકર દુકાળો તૈયાર કરીને અતિવૃષ્ટિ પણ ન કરી શકે? જેથી પેલો બિચારો દેશ લીલા દુકાળે પાયમાલ થઈ જાય ! એ તો સારું છે કે હજી એ ઉપરવાળા (ગોરાઓ)ની મહેરબાની છે કે તે આવું કાંઈક ગરીબ દેશો ઉપર કરતો હોય તેમ લાગતું નથી. આ સંસ્થાઓને મુંબઈની ધારાવી (એશિયામાં સૌથી મોટી!) જેવી ઝૂંપડપટ્ટીના નવનિર્માણમાં રસ છે. કેમ કે આ રીતે પછાત-કોમો મજબૂત બને તો ભાવિમાં જે તે દેશની સવર્ણ-બુદ્ધિમાન પ્રજાઓ સામે બળવો કરીને તેમને ખતમ કરીને કે દૂર કરીને રાષ્ટ્રનો કબજો લે; એમ થતાં આ બુદ્ધિમાં દૂર્બળ-દૂબળી કોમો દ્વારા રાષ્ટ્ર અધાધુંધીમાં ફસાઈ પડે.
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy