SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ 0 બાર પ્રકારની હિંસાઓ આ સંસ્થાઓ ટયુબવેલો બનાવવા માટે જંગી મદદ એટલા માટે કરે છે કે તેથી ધરતીનો જળભંડાર જલદી ખાલી થઈ જાય. ત્યાં સમુદ્રનાં પાણી ધસી આવે. એમ થતાં નદી, કૂવા આદિનાં પાણી સાવ ખારાં થઈ જાય. આ સંસ્થાઓ ફુડ પેકેટો (તેયાર ભોજન)નું ચિક્કાર ઉત્પાદન એટલા માટે કરે છે કે, તેથી સાંસ્કૃતિક પદ્ધતિનું પ્રાચીન પરંપરાનું ગૃહિણીનું રસોડું- જેના લાભો અગણિત છે - તે સાવ ખતમ થઈ જાય. ઘરમાંથી સ્નેહની સરવાણીઓ સુકાઈ જાય. દરેક કુટુંબ સંઘર્ષ અને ક્લેશનો ભોગ બની જાય. આ સંસ્થાઓ “ફર્ટિલાઈઝરો'માં મદદગાર થવાનો રસ એટલા માટે ખૂબ ધરાવે છે કે તેથી તે દેશની લાખો હેક્ટર જમીનો બળી જવાની છે. પોતાનો કસ ખોઈ બેસવાની છે; દસ-વીસ વર્ષમાં કોઈ પણ પ્રકારની ખેતીને માટે નકામી થઈ જવાની છે. આમ થતાં કરોડો ખેડૂતો, સીમાંત (maginal) અને શ્રીમંત તમામ, ખેતમજૂરો સાફ થઈ જવાના છે. આ સંસ્થાઓ હાઈબ્રીડ (અનાજોની સંકર જાતો)માં એટલા માટે ભારે રસ ધરાવે છે કે તેનાં દૂરગામી પરિણામો ભયંકર છે. તાત્કાલિક પણ તેમાં જન્તુ પ્રતિકારશક્તિ નથી એટલે પેદા થનારાં જંતુઓનો નાશ કરવા માટે જંતુનાશક દવાઓનું વિરાટ બજાર હાથમાં આવવાનું છે. આ દવાઓ કેન્સર વગેરે રોગોની જનેતા હોવાથી દવાઓનું પણ મોટું બજાર ખુલ્લું થવાનું છે. અને તે બધું કરીને છેલ્લે તો તે પ્રજા મોત ભેગી થવાની છે. આ સંસ્થાઓ વિદેશી ગાયો વગેરેને ભારતમાં એટલા માટે ઘુસાડવામાં મોટી સહાય કરવા તૈયાર થાય છે અથવા ક્રોસ-બ્રીડીંગના કાર્યમાં જંગી રકમની ભેટ દેવા એટલા માટે તૈયાર છે કે તેના દ્વારા તે ભારતીય ઓલાદના પશુધનનું નિકંદન કાઢવા માગે છે. બીજી બાજુ તે વિદેશી ગાયો કે ક્રોસ-બ્રીડીંગના પશુઓ તો ભારતીય હવામાનને પ્રતિકૂળ હોઈને ટકવાની જ નથી. આમ ભારત આ વિષયમાં સાવ પરાવલંબી બનીને ખતમ થઈ જાય. આ સંસ્થાઓ જીવનપ્રદાયી આયુર્વેદના વિકાસમાં રસ ધરાવવાને બદલે એલોપથી ઓષધોમાં એટલા માટે રસ ધરાવે છે કે તેના વપરાશથી પ્રજાઓના પેટમાં ઈંડાં, લોહી, વીર્ય, ચરબી, લીવર, માંસ હાડકાં, રેનેટ વગેરે પ્રાણીજ પદાર્થો સહજ રીતે ચાલી જવાના છે. એથી એમની નિર્મળ બુદ્ધિનો ભ્રંશ થવાનો છે. વળી આ દવાઓના વપરાશથી અઢળક સંપત્તિ તેમના ઘરભેગી થવાની છે. વળી આ દવાઓનો રોગ કરતાં ય ઈલાજ ભયંકર સ્વરૂપ છે. એટલે નવા અનેક રોગોને પેદા કરીને કરોડો માનવોનો જાન લેનારી છે.
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy