SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ તમે પાંચ લાખ રૂ. બચાવી લો. (બાળકીનો ગર્ભપાત કરાવો તો ૫૦૦ રૂ. તેથી તેનાં લગ્ન, દહેજ વગેરેના પાંચ લાખ રૂ.નો ખર્ચ બચી જાય!) ભારતમાં પણ બાળકીનો ગર્ભપાત દર વર્ષે લાખોની સંખ્યામાં થવા લાગ્યો છે. શું બાળક કે શું બાળકી! કોઈનો ય ગર્ભપાત થઈ શકે નહિ. જીવ ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારથી નવ માસ દરમ્યાન એક પણ સમય એવો હોતો નથી જેમાં ગર્ભ નિર્જીવ હોય, અને તેથી તે સમયમાં પહેલાં ત્રણ સપ્તાહમાં!) કરાતો ગર્ભપાત એ માનવહિંસા ન ગણાતી હોય! ધર્મશાસ્ત્રોની આ વાત હવે વૈજ્ઞાનિકો વગેરે સહુ સ્વીકારવા લાગ્યા છે અને તેથી જ “ગર્ભપાત' અંગે સહુ ફેરવિચારણાને જરૂરી માની રહ્યા છે! પોતાના જ વહાલા સંતાનને-દીકરાને કે દીકરીને મારી નાખવા તેયાર થતાં માબાપો કેટલા બધા ક્રૂર બનતા હશે? બાઈબલનો શેતાન પણ આવી ક્રૂરતા આચરવા માટે તૈયાર નહિ થાય! પોતાના ભૌતિક સ્વાર્થ ખાતર, સંતાનોને પેટમાં કાપી નખાવવા એ કેટલું બધું અધમ, પાશવી, રાક્ષસી કૃત્ય ગણાય ! કેટલીક વાર તો જલદ પ્રયોગો કરવા છતાં પણ ગર્ભપાત થતો નથી. ગર્ભસ્થ બાળક, તેના પુણ્ય જ બચી જાય છે અને જન્મ પામી જાય છે. જો આવા બાળકને ખબર પડે કે તેના માતાપિતાએ તો તેને મારી નાખવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા! તો આ બાળક તે માતાપિતાનું ભક્ત શી રીતે બની શકે? તે પણ તેમનો હત્યારો જ નહિ બને? હા, જરૂર. તેમ જ થવાનું. કર્ણને જન્મતાંની સાથે નદીમાં તરતો મૂકી દેનારી માતા કુન્તીને કર્ણ સદા ધિક્કારતો જ હતો! તે પોતાને કૌન્તય કહેવામાં સદા હીણપત જોતો હતો. તેને “રાધેય' બનવું જ અત્યંત પ્રિય હતું. આવું જ પોતાના દેખતાં માતાને મારપીટ કરતા પિતા તરફનું બાળકનું વર્તન ભાવિમાં ધિક્કારભર્યું બની જાય છે. લવ અને કુશ તેમના પિતા રામને ધિક્કારવા લાગ્યા હતા, જ્યારે તેમને એ વાતની ખબર પડી કે પિતાએ, માતાને વગર વાંકે સગર્ભા અવસ્થામાં વનમાં ધકેલી મૂકી હતી! માતાપિતાના વાત્સલ્યને નહીં પામેલા; ઘોડીયાઘરમાં જ આયાઓ પાસે મોટા કરાયેલા સંતાનો જ્યારે મોટા થાય છે ત્યારે બુઢા થયેલા માબાપોને તેઓ ઘરડાઘરોમાં ધકેલી દે છે. બિચારા માબાપો! એકલતાની ભારે યાતનામાં, પુત્રપૌત્રાદિની હૂંફના અભાવમાં મોતની રાહ જોતાં માંડ માંડ પોતાનું જીવન ઢસડતા
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy