SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ બાર પ્રકારની હિંસાઓ થતા ગર્ભપાતો પ્રત્યેની નફરત અને અસંતોષને કારણે એમણે એમનું મન એ દિશામાં વાળ્યું. પણ એમણે કદી ઊંટવૈદું કર્યું નહિ. તેને બદલે રાહ જોવાનું ઉચિત માન્યું. ૧૬૬૭માં ડૉ. નાથાનસનને લારી લોડર નામના એક પત્રકારનો ભેટો થયો. શ્રી લોડરે તે જ અરસામાં પોતાનું એક પુસ્તક “એબોર્શન' પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં એણે અમેરિકામાંના ગર્ભપાત-વિરોધી ધારાઓ રદ કરવા જોઈએ એવી જોરદાર અપીલ કરી હતી, અને શ્રી. લોડરે એમના વિચારોને સમર્થન આપનારાઓ સાથે મળીને નેશનલ એસોસીએશન ફોર રીપીલ ઓફ એબોર્શન લોઝ (નારાલ)ની સ્થાપના કરી. ૧૯૭૦ના અરસામાં ન્યુયોર્ક સ્ટેટમાં ગર્ભપાતને કાયદેસર બનાવવામાં આવ્યો અને ડૉ. નાથનસને ગર્ભપાત ક્લિનિકની સ્થાપના કરી, જે પશ્ચિમના વિશ્વમાં થોડા જ સમયમાં એક મોટામાં મોટા ક્લિનિક તરીકે નામના પામ્યું. ક્લિનિકનું નામ આપ્યું, સેન્ટર ફોર રીપ્રોડકટીવ એન્ડ સેકસ્યુઅલ હેલ્થ (દેશ) ડ. નાથાનસને કુલ ૫,૦૦૦ ગર્ભપાત કરાવ્યા અને બીજા ૬૫,૦૦૦ ગર્ભપાતો પર દેખરેખ રાખી. ૧૯૭૩ના જાન્યુઆરીમાં, અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપતા, ટેકસાસના એન્ટીએબોર્શન લોઝ (ગર્ભપાત વિરોધી કાયદાઓ) ગેરકાયદેસર ઠરાવ્યા અને આમ ગર્ભપાત કાયદેસર બન્યો. ડૉ. નાથાનસન આનંદ પામ્યા. પણ તે જ વર્ષમાં એમના વિચારોમાં પરિવર્તન આવ્યું. ૧૯૭૪ના નવેમ્બરમાં, એમણે ન્યુ ઈંગ્લેન્ડ જનરલ ઓફ મેડિસિનમાં ડીપ ઈન ટુ એબોર્શન (ગર્ભપાત વિશે વધુ ઊંડાણમાં ડોકીયું) નામનો લેખ લખ્યો. તેઓ ગર્ભપાતવિરોધી બન્યા. એમ બનવાનું કારણ શું? એમને કાંઈ ઈશુનાં દર્શન તો થયાં નહોતાં! ડૉ. નાથાનસને કહ્યું કે મને કાંઈ એક જ દિવસમાં એની પ્રેરણા થઈ નથી. પણ વાસ્તવિકતા ધીરે ધીરે મારા મન પર છવાવા લાગી. મારા મનમાં એ સ્પષ્ટ થવા લાગ્યું કે આપણે ભૂણનો નાશ કરીને યોગ્ય કરતા નથી. હવે આપણે આગળ વધીએ. આપણે જોયું કે જો બાળકીનો નિર્ણય ગર્ભપરીક્ષણ દ્વારા થાય તો તરત જ તેનો ગર્ભપાત મોટે ભાગે કરાવાય છે. કેમકે સ્ત્રી સહુને આર્થિક રીતે ભારે પડતી જણાય છે! પરદેશોમાં તો ગર્ભપાત કરી આપતા ડૉક્ટરોના દવાખાનાની બહાર મોટાં બોર્ડ લગાડાય છે, જેમાં લખ્યું હોય છે કે પાંચસો રૂ.ખર્ચાને
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy