SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ બાર પ્રકારની હિંસાઓ જો દૂધાળુ પ્રાણીઓને જીવતાં રાખવાં હોય, તેમની કતલ ન થવા દેવી હોય તો તેમનું દૂધ ઉપયોગી બનાવવું જ પડે. વળી પ્રાચીન પરંપરા તો એ હતી કે વાછરડું ધરાઈને દૂધ પી લે પછી જ પ્રાણીનાં આંચળોમાં હજી પણ ઘણું વધેલું દૂધ દોહીને લઈ લેવાતું. જો તે દૂધ દોહીને ન લઈ લેવાય તો ગાય વગેરેના આંચળમાં રહીને તે ઝેર બની જતું. આથી તે પ્રાણીઓ મરી જતાં. (આજની રીત સાવ ખોટી છે કે માંડ પા લીટર જેટલું વાછરડાંને પીવડાવીને બધું દૂધ માણસે દોહીને પોતાના માટે લઈ લેવું. પેલા વાછરડાને ભૂખ્યું, તરફડતું રાખવું.) વળી દૂધ એ પ્રાણીનું લોહી જ નથી. આજે સવારે ગાયે જે ઘાસ વગેરે ખાધું તેને સાંજે જ જ્યારે દૂધ બની જાય છે ત્યારે તેને લોહી કહી શકાય જ નહિ. કેમકે આજે ખાધેલા ખોરાકનું લોહી થતાં પાંચ (અથવા સાત) દિવસ અવશ્ય થાય છે. વળી જો દૂધ લોહી હોય તો લગભગ બધા મહાત્માઓએ પણ જન્મ જતાં જ માતાનું દૂધ પીધું છે, એટલે શું હવે તે બધા જન્મથી જ માંસાહારી બની ગયા? પ્રાણીના શરીરમાંથી જે નીકળે તેનો ભોગવટો તે બધો માંસાહાર એવું ન કહેવાય. શું ગોમૂત્ર પણ માંસાહાર છે! અરે! એ તો ખૂબ પવિત્ર વસ્તુ મનાય છે! મંદિરોમાં છંટાય છે! એવી લોક વ્યવસ્થા છે. એમાં જે રીતે જે વસ્તુ વ્યવસ્થિત થઈ હોય તે જ રીતે તેને માનવી જોઈએ. કુતર્કો કરીને કોઈ વસ્તુને ઠોકી બેસાડવી તે યોગ્ય નથી. કેટલાકો વળી કહે છે કે, “ધરતી ઉપર અનાજ ઓછું પેદા થાય છે તો ભૂંડ વગેરેનું માંસ ખાવામાં વાંધો શું? એથી અનાજની અછત વર્તાશે નહિ.” આ વાત બિલકુલ બરોબર નથી. માંસાહારીઓ તો અનાજની ત્રણ રીતે અછત વધારી મૂકે છે. (૧) બળદ વગેરેને ખાઈ જતાં તેઓ અનાજનો પાક લેવામાં સહાયક બનતા બળદને મારી નાંખીને અનાજની અછત વધારે છે. (૨) માંસ ખાધા પછી પણ તેમને અનાજ તો ખાવું જ પડે છે. વળી માંસાહારથી વધુ ભૂખ લાગતી હોવાથી વધુ અનાજ ખાવું પડે છે. (૩) જે મરઘાં, ભૂંડ વગેરેનું માંસ ખાય છે તે મરઘાં, ભૂંડને તગડાં બનાવવા માટે પાછું પુષ્કળ અનાજ તો ખવડાવવું જ પડે. વિષ્ઠા કે કચરો માત્ર ખાઈને ભૂંડ કે મરઘાં તગડાં-માંસલ-ન બની જાય.
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy