SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ બાર પ્રકારની હિંસાઓ આવે છે. સંદેશો સ્પષ્ટ છે : શાકાહારીઓ માટે દૂધ, શાકભાજી અને કઠોળ મોંઘાં થશે અને માંસ, મચ્છી, ઈંડાં સસ્તાં બનશે. સતીપ્રથા અને હરિજનોના વિવાદમાં અટવાતા શંકરાચાર્યો અને બીજા ધર્મગુરુઓને આ આક્રમણની જરાય ચિંતા નથી. માંસાહારનો પ્રચાર પ્રોટીનના નામે થઈ રહ્યો છે. ઠેઠ પહેલા ધોરણમાં ભણતા બાળકને પણ મગજમાં ઠસાવવામાં આવે છે કે ઈંડાં અને માંસ ખાવાથી તાકાત આવે. આવતી કાલે સરકાર કદાચ તમામ બ્રેડ, બિસ્કિટ અને ચોકલેટમાં પણ પોષણના નામે ઈંડાં ઉમેરવાનું ફરજિયાત બનાવે. માંસાહારી એવી દલીલો પણ કરતા હોય છે કે અમે જો અન્ન વાપરવા લાગીએ તો શાકહારીઓએ ભૂખે જ મરવું પડે. સંયુક્ત રાષ્ટ્રસંઘની એક બેઠકમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. શ્રીમતી ગાંધીએ આ દલીલનો સુંદર જવાબ આપ્યો હતો : “તમે શ્રીમંત દેશો ડુક્કરના શરીરમાં એક કિલો માંસ પેદા કરવા તેને ૭૦ કિલો અનાજ ખવડાવો છો. તમારો એક માણસ જો માંસ ખાવાનું બંધ કરે તો અમારા ૭૦ માણસોનું પેટ ભરાઈ ઈંડાં ખાનારા ચેતજો! એનાથી હૃદયરોગ જલદી થાય છે! - ગુણવંત છો. શાહ ખાસ સિઝન હવે આવી ગઈ છે. જો કે અત્યારે પણ ઈંડાં અને આમલેટની લારીઓ ચકલે અને ચોટેચોટે ઊભી તો હોય જ છે પરંતુ શિયાળો આવે એટલે એવી લારીઓની સંખ્યામાં ચારગણો વધારે થઈ જાય છે. આ કારણે બાકીના દિવસોમાં ઈંડાં નહીં ખાનારાઓમાં એવી (ખોટી) માન્યતા પ્રવર્તે છે કે શિયાળામાં ઈંડાં ખાવાથી શક્તિ અને “તાકાત'માં વધારો થાય છે! ઈંડાંના પ્રચારકોએ તો સરકારી મદદ વડે (એટલે આપણા ખિસ્સામાંથી ગયેલા પૈસા વડે) ટી.વી., રેડિયો અને ફિલ્મો તથા અખબારોમાં જાહેરખબરો આપીને ઈંડાં ખાવા માટે માનસિક દબાણ લાવવાનું ક્યારનુંય શરૂ કરી દીધું છે. પરંતુ ઈંડાંના આ પ્રેમીઓ જાણતા નથી કે ૧૯૮૫માં નોબેલ પારિતોષિક મેળવનાર અમેરિકાના બંને હૃદયરોગના નિષ્ણાતોની સલાહ છે કે “હૃદયરોગથી બચવું હોય તો ઈંડાનું સેવન ન કરો!” હૃદયરોગના આ નિષ્ણાતોનાં નામ ડૉ. માઈકલ એસ. બ્રાઉન અને ડૉ. જોસેફ એલ. ગોલ્ડસ્ટીન છે. નોબેલ પારિતોષિકના ૮૪ વર્ષના ઈતિહાસમાં કોઈને ન મળી હોય એટલી રકમ રૂ.૨૨,૫૦,૦૦૦ એમને મળી હતી. એમણે વિશ્વનું આ
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy