SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ સસલાં પર થતાં ડ્રેઈઝ આઈ ટેસ્ટ'ના ઘાતકી પ્રયોગો સામે ઘણો ઊહાપોહ જાગ્યો એટલે રસાયણોની કસોટી માટે કોઈ બીજો વિકલ્પ શોધી કાઢવા રેવલોન કંપનીએ સાયન્ટિસ્ટોને રોકી સાડા સાત લાખ ડૉલર ખર્ચી નાખ્યા છતાં આજ સુધી પ્રસાધનોની ચકાસણી કરવાનો નિર્દોષ કીમિયો જડયો નથી. પરિણામે આલ્બિનો સસલાં પર સૌંદર્યના નામે થતા સિતમો ચાલુ જ રહ્યા છે. - બિલાડીને વીજળીના આંચકા આપી તેના દિમાગ તથા શરીરનો તરફડાટ માપી માનવીનાં મગજનાં રહસ્યોને ઉકેલવાના પ્રયાસ થાય છે. બીગલ જાતના કૂતરાને એટલી હદે ત્રાસ અને વેદના અપાય છે કે ઉશ્કેરાઈને એકબીજા પર ખૂનખાર હુમલા કરવા માંડે છે. કિશોરાવસ્થાનાં બાળકો અપરાધના રસ્તે શા માટે વળે છે તેનો તાગ મેળવવા માટે કૂતરાં પર આવી ક્રૂરતા આચરવાનું કેટલું વાજબી ગણાય ? મોટરનું નવું મોડલ બહાર પડે ત્યારે મોટર કંપનીઓ તેની પ્રાથમિક ચકાસણીમાં અકસ્માત સમયે મોટરનું માળખુ કેટલી ઝીંક ઝીલી શકે અને અંદર બેઠેલી વ્યક્તિઓને કેટલા પ્રમાણમાં ઈજા થાય તે જાણવા નિર્દોષ વાંદરાંનો આડેધડ ઉપયોગ કરે છે. કારના સીટબેલ્ટ સાથે વાંદરાંને બાંધી તેજ ગતિથી દોડાતી મોટરને મજબૂત દીવાલ સાથે અફળાવે છે. ઘણીવાર ગર્ભવતી બબૂન વાંદરીઓ પર પણ આવા પ્રયોગ થાય છે. એમાં ગરદન તૂટી જવાથી કે ખોપરીનો ચૂરો થઈ જવાથી મોટેભાગે બબૂન કમોતે મરી જાય છે અને જીવે તો ય ફરી આવા પ્રયોગોમાં ઉતારી અંતે તો તેનો ખાતમો જ બોલાવાય છે ! વૈજ્ઞાનિક, તબીબી કે ઔદ્યોગિક પરીક્ષણો માટે અનેક પ્રકારનાં જીવતાં પ્રાણીઓ અપંગ કે વિકૃત બને છે અથવા પ્રાણ ગુમાવે છે. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ” સંસ્થાના અંદાજ મુજબ દર વર્ષે આવાં પરીક્ષણો માટે વિવિસેકશન (વૈજ્ઞાનિક પ્રયોગો માટે થતાં પ્રાણીવિચ્છેદનને “વિવિસેકશન' કહે છે.)ની સાથે ૨૩ કરોડ પશુપક્ષીઓ પર ઘાતકી પ્રયોગો થાય છે તેમાં ૭૦ ટકા પ્રયોગોનો હેતુ માનવરોગો પર વિજય મેળવવા માટે નહીં બલકે કોમેટિક્સના શોખ પૂરા કરવા, લકઝરી આઈટમો બનાવવા તેમ જ મનોરંજન માટે હોય છે. - લિપસ્ટિક, શેમ્પ, ટેલ્કમ પાઉડર અને શૃંગારની ચીજો બનાવતા પહેલાં મનુષ્યની ત્વચા, વાળ કે આંખને તે નુકસાનકર્તા નથી તે ચકાસી જોવા આ ચીજોનું દ્રાવણ પરાણે ઉંદર, બિલાડી, સસલાં કે વાંદરાને પીવડાવવામાં કે ચામડી પર ઘસવામાં આવે છે. લિપસ્ટિક મોંમા જવાથી પેટ કે લીવરને હાનિ થતી નથી તેની ખાતરી કરવા એને પ્રાણીના પેટમાં પધરાવે. એટલું જ નહીં, તેની અસર ચકાસવા લેબોરેટરી ટેસ્ટ માટે
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy