________________
૧૫૮
બાર પ્રકારની હિંસાઓ
વરસાદ થતાં જ તેનો શ્રેષ્ઠ ઉપયોગ થઈને જ રહેશે. માટે સવિચારો પ્રસારો! બસ બધે આ અંગેની વાતો કરતા જ રહો. મગજમાં ઘાલતા જ રહો. આ ટાઈમબોમ્બ છે. ક્યારેક પણ તે ફૂટશે અને આચાર સુંદર સૃષ્ટિનું સર્જન કરશે.” - રવિશંકર મહારાજે એક ઠેકાણે કહ્યું છે કે, “એક સમય એવો પણ આવી જાય કે ડાલડા ઘીને જ ભાવિનું સંતાન એવું સાચું ઘી માની લેશે અને તેને જો ચોખ્ખું ઘી સુંઘાડાશે તો તે બોલી ઊઠશે કે, “આ તો ગંધાતું ઘી છે.”
આ વાત વિચારોના વિષયમાં પણ લાગુ પડે છે. જો પશ્ચિમની જીવનશૈલીને જ વિચારમાં ય સાચી માની લેવાશે તો પૂર્વની જીવનશૈલીના વિચારોને આવતી કાલે ખોટા : નકામા : અવ્યવહારુ ગણાવી દેવાશે. આમ ન થાય તે માટે સાંસ્કૃતિક વિચારોને એના પૂર્ણ સ્વરૂપે, જરાય વિકૃત ર્યા વિના જીવંત રાખવા જોઈએ.
મોટાભાગના લોકો સંસાર સારો માનીને ભોગવે છે; પણ છતાં જેન-સાધુઓતેનો અમલ થાય કે ન થાય તો ય - છેલ્લા અઢી હજાર વર્ષથી, પરમાત્મા મહાવીરદેવે પ્રબોધેલી ત્રણ વાતો એકધારી રીતે શ્રોતાઓને કહેતા જ રહે છે કે, “સંસાર છોડવા જેવો છે; દીક્ષા લેવા જેવી છે. મોક્ષ પામવા જેવો છે.” વિચારરક્ષાના કેટલાક દાખલો આપું.
હાલ વેદિકધર્મી લોકોના કારણે પશુઓને બદલે ગોવંશની જ રક્ષા કરવાની વાતો ખૂબ ચાલે છે. જૈનો તો પ્રાણીમાત્રની રક્ષા જ ઈચ્છે છે, એટલે તેઓ ગોવંશહત્યાના પ્રતિબંધની વાતોમાં કે તેના ઠરાવમાં સીધી સંમતિ ન આપે. તેઓ કહે કે, “અમારે તો પ્રાણીમાત્રની હત્યા ઉપર પ્રતિબંધ લાવતું બિલ પસાર કરવું છે. અમે માત્ર ગોવંશને બચાવવાની વાતમાં સંમતિ આપીને શેષ બકરાં, માછલાં, ઈંડાં, ભૂંડ, પાડા, સાપ, વાંદરા વગેરે તમામ પ્રાણીઓની હિંસામાં આડક્તરી પણ સંમતિ દઈએ તે ન ચાલી શકે.
એટલે અમારી માગણી-અમારો વિચાર-હંમેશ માટે એક જ રહેવાનો કે પ્રાણીમાત્રની હત્યા બંધ થવી જોઈએ. હવે જો સરકારી સ્તરે તે શક્ય ન બને; અને ગોવંશમાત્રની હત્યાનો પ્રતિબંધ કરાય; તો ‘તેટલી પણ હત્યા બંધ તો થાય છે, તેમ વિચારીને અમે જેનો પણ સ્વીકાર કરીએ; તે માટે યત્ન કરીએ; તેના માટે ય તપ-જપ કરાવીએ. પરંતુ તે વખતે પણ પ્રાણીમાત્ર હત્યા-પ્રતિબંધ'નો અમારો ઘોષ તો અમે ચાલુ જ રાખીએ.”
ગાય કપાઈ જાય તે કરતાં ય પ્રાણીમાત્રની રક્ષાનો વિચાર કપાઈ જાય, ખતમ