SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ખેતી મોંઘીદાટ થઈ છે એટલે હવે ખેડૂતો આ સરકારી-લાલચ તરફ વળવા પણ લાગ્યા છે. જો આમ થશે તો દરેક ખેતર-ભૂંડ, મરઘા વગેરેનું કતલખાનું બનશે. દરેક ખેડૂત કસાઈ બનશે. કેટલાંક ખેતરોને ઊંડા ખોદી નાખીને તેમાં વરસાદી પાણી ભરી દઈને તેમને તળાવ બનાવી દેવાશે. તેમાં ઝીંગા વગેરે માછલીઓનું બિયારણ નાંખીને મત્સ્યોદ્યોગ વિકસાવાશે. આમ થશે તો દરેક ખેતર તળાવ બનશે. દરેક ખેડૂત માછીમાર થશે. સરકાર જાહેર કરવાની તૈયારીમાં છે કે જો ખેડૂતોને ખેતી મોંઘીદાટ બની ગઈ હોય (જાણીબૂઝીને સરકારે જ મોંઘીદાટ બનાવી છે.) તો ખેડૂતો કાં કસાઈ બને; કાં માછીમાર બને. દેખાતાં કતલખાનાંઓને ક્યાંય ટક્કર મારે તેવાં આ ખેતરોમાં કતલખાનાં બની જશે. એકલા દેવનારના કતલખાનામાં વર્ષે એક લાખ બળદો, એંસી હજાર ભેંસો અને પચીસ હજાર ઘેંટા-બકરાંની કતલ થાય છે. તેમ કરીને ચાર કરોડ રૂપિયાની આવક ઊભી કરવા જતાં અને ૧૫૧૦ કર્મચારીઓને રોજી આપવા જતાં રાષ્ટ્રની ૨૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો કાયમી નાશ થાય છે. ગામડાંના એક લાખ માણસો બેકાર થઈ જાય છે. ખરેખર તો પશુઓમાં કરવામાં આવતું મૂડીરોકણ વિશેષ નફાકારક અને ખેડૂતોને સ્વાવલંબી બનાવનારું હોય છે. દેવનારમાં થતી બળદ અને ભેંસોની વાર્ષિક કતલ દ્વારા સાઠ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય સંપત્તિનો નાશ થાય છે. બકરાની કતલ સામે દર વર્ષે - એકસો પચીસ કરોડ રૂપિયાની મૂડી નાશ પામે, આવા પશુ-સંહારથી ગામડાંઓ ભાંગી રહ્યાં છે; લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈને શહેરોમાં ઠલવાઈ રહ્યા છે. આ કેવું હાસ્યાસ્પદ છે કે દેવનાર દ્વારા ૧૫૧૦ માણસોને રોજી! અને તેની સામે એક લાખ માણસો દર વર્ષે રોજી-વિહીન! જો આ બેફામ કતલને નહિ રોકાય તો કરોડો ખેડૂતો અને પશુપાલકો બેકાર બની જશે. એક અંદાજ મુજબ ભારતના સમગ્ર પશુધનની બજાર કિંમત ૪૦,૦૦૦ કરોડ રૂપિયા છે. આ પશુઓ વર્ષે ૪ કરોડ ટન દૂધ અને એક અબજ ટન છાણ આપે છે. દેશના ૧૯.૪ કરોડ ગાય-બળદ અને ૭ કરોડ ભેંસ મળીને ૪ કરોડ હોર્સપાવર જેટલી ઊર્જા પેદા કરે છે. આ દેશની કુલ ઊર્જાના ઉત્પાદનના આ ૬૬ ટકા થાય છે. આની સામે કોલસો અને પેટ્રોલિયમ જેવાં પરંપરાગત સાધનોમાંથી માત્ર ૧૪ ટકા ઊર્જા મળે છે. જો પશુધનનું જતન કરાય તો પેટ્રોલિયમ અને રાસાયણિક ખાતર પાછળ વેડફાતું
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy