SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૦૫ ધોરણે આપણે વિકાસ કરીશું તો ગરીબી નાબૂદ થશે. અમેરિકનો પણ ભારતની ગરીબી વિશે મગરનાં આંસુ પાડે છે. પરંતુ એ લોકો ભૂલી જાય છે કે જગતના ત્રીજા ભાગનાં કુદરતી સાધનોનો એકલા અમેરિકનો ઉપભોગ કરી જાય છે. એન્ટ્રોપી'ના લેખક જેરેમી રિફકીન કહે છે કે જ્યાં સુધી અમેરિકન ટેકનોલોજી જગતનાં ત્રીજા ભાગનાં કુદરતી સાધનોનો ઉપભોગ કરે છે ત્યાં સુધી ગરીબ દેશોનો ઉદ્ધાર થવાનો નથી. બીજી પણ એક વાત છે તેની ગરીબ દેશોના નેતાઓએ નોંધ લેવા જેવી છે. એ ગરીબ દેશના નેતાઓ એમ માનવાની ભૂલ ન કરે કે કાળક્રમે તે લોકો પ્રગતિ કરીને અમેરિકા જેવી સમૃદ્ધિ હાંસલ કરશે. આવી સમૃદ્ધિ લોજીકલ દૃષ્ટિએ અશક્ય છે. હર્મન ડાલી નામના અર્થશાસ્ત્રીની વાત અહીં જાણવા જેવી છે, “અમેરિકા, જેની વસતિ જગતનાં માણસોની માત્ર છ ટકા જેટલી છે. તેના ટેકનોલોજીકલ વિકાસને જિવાડવા માટે જગતને ૩૫ ટકા ઉત્પાદન કામે લગાડવું પડે છે. જો માત્ર ૬ ટકા જેટલા જગતની વસતિના ટેકનોલોજીના મોહને જીવતો રાખવા ૩૫ ટકા સાધનોનો ભોગ આપવો પડતો હોય તો અત્યારે તે સાધનો આપણી પાસે છે તેનાથી માત્ર ૧૮ ટકા વસતિ જ ટેકનોલોજીની પ્રગતિ કરી શકે. અમેરિકા પછી હજી યુરોપના દેશો પણ છે. અમેરિકા જેટલી પ્રગતિ બીજી ૧૨ ટકા. મારી તો સ્પષ્ટ સમજ છે કે વનસ્પતિ આદિ સૂક્ષ્મ જીવો (એકેન્દ્રિય)ની હિંસા તથા દેડકાં વગેરે તમામ પ્રકારનાં પ્રાણીઓની હિંસામાં તેમની જ હિંસા નથી, પરંતુ આખી માનવજાતનો સંહાર છે. માનવજાતને જીવવા માટે જે ઓક્સીજન (શુદ્ધ હવા)ની જરૂર પડે છે તે વનસ્પતિ જ પૂરો પાડે છે. વળી શુદ્ધ પવનની જેમ વરસાદી પાણી, ધરતીમાં જળભંડાર વગેરે પણ તે જ પૂરા પાડે છે. અનાજ પણ તેની જ પેદાશ છે. પશુઓને માટે પણ વનસ્પતિ (ઘાસ વગેરે) અત્યંત જરૂરી છે. એ જ રીતે પશુઓના છાણ, મૂતર વગેરે દ્વારા જે ઊર્જાની પ્રાપ્તિ થાય છે તેથી માનવજાત જીવી શકે છે. એક દિવસ એવો અચૂક આવશે. જ્યારે પેટ્રોલિયમ પેદાશો મળતી બંધ થશે. ઈલેક્ટ્રીક ખતમ થશે ત્યારે ઊર્જાના સ્ત્રોતો પેદા કરવા માટે પશુના છાણ, મૂતર વગેરે તરફ પાછા જવું જ પડશે. એ દિવસ ભારે સૌભાગ્યનો હશે જ્યારે ભારત ફરીથી પર્યાવરણરક્ષાના નામ નીચે પણ વનસ્પતિ અને પશુમાત્રની રક્ષા માટેની દિશામાં પોતાનો ડગ માંડશે. યુદ્ધકીય મહાસંહાર પછી આ સ્થિતિ પેદા થઈને જ રહેવાની છે. આમ થશે તો જ પેલા ગોરાઓની બધી ગણતરીઓ
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy