SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ બાર પ્રકારની હિંસાઓ થયું. એ પેટ્રોકેમિકલ ઉદ્યોગો અને પેસ્ટીસાઈડઝના ઉદ્યોગો વધ્યા તે પછી આ મરણપ્રમાણ ૧૯૭૬માં વધીને પ૯ ટકા થયું છે. રસાયણ ઉદ્યોગોએ પેદા કરેલા રોગોને કારણે અમેરિકામાં હોસ્પિટલ, દવા અને ડૉકટરીનો આખો ઉદ્યોગ ખીલ્યો છે. અમેરિકાના મેડિકલ ક્ષેત્રમાં રૂ.૧,૫૦,૦૦૦ કરોડની મૂડીનો દર વર્ષે ઉથલો થાય છે. હોસ્પિટલોમાં અવનવા નિદાનનાં સાધનો વસાવાય છે અને દર વર્ષે નવા સ્કેનિંગનાં યંત્રોને ભંગારમાં શોધીને જૂના સ્કેનિગના કઢાય છે અગર તો ભારત જેવા ગરીબ દેશોમાં ધકેલાય છે. તેને કારણે હોસ્પિટલોમાં જવાનું જાણે અનિવાર્ય હોય તેવી હવા પેદા થઈ છે. અમુક નિદાનનાં યંત્રોનો ઉપયોગ કરવા દર્દીએ ૧-૨ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે અને પછી ડૉક્ટર કહે તો ઓપરેશન કરાવી લેવું પડે છે. અમેરિકન કોંગ્રેસને એક અહેવાલ અપાયેલો તેમાં કહેવામાં આવેલું કે અમેરિકન હોસ્પિટલોમાં ૨૪ લાખ જેટલા બિનજરૂરી ઓપરેશનો થાય છે અને એવા નાહકના ઓપરેશનને કારણે દર વર્ષ ૧૧,૯૦૦ જેટલા તદ્દન નાહકનાં મરણો પણ થાય છે અને એ અર્થવગરનાં ઓપરેશનોમાં દર વર્ષે રૂ. ૪૦૦૦ કરોડ ખર્ચાય છે. ભારતમાં મુખ્ય મુખ્ય શહેરોને તબીબી દૃષ્ટિએ મીની અમેરિકા જેવાં બનાવી દેવામાં આવી રહ્યાં છે. આપણે પણ આવાં નાહકનાં ઓપરેશનોનો ભોગ બની રહ્યા છીએ. કૃષિક્ષેત્રમાં પણ આવી જ સત્યાનાશની હાલત આપણે નોતરી રહ્યા છીએ. અમેરિકનો પાકના જંતુને મારવા કુદરતી પદ્ધતિ વાપરવા માંડ્યા છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ એકદમ ઓછો કરી રહ્યા છે ત્યારે આપણા દેશમાં વધુ ને વધુ રાસાયણિક ખાતર અને જંતુન દવાઓ વપરાઈ રહ્યાં છે. મલ્ટીનેશનલ કંપનીઓ પ્રેસ કોન્ફરન્સ ભરીને અને કોકટેલો યોજીને પત્રકારોને મસાલા પીરસે છે કે ભારતનો અમુક અબજ રૂપિયાનો પાક જંતુ ખાઈ જાય છે. એ પાકને બચાવવા જંતુઘ્ન દવા જરૂરી છે પરંતુ ખેતીવાડીના પર્યાવરણમાં કપાસનો છોડ ઊભો હોય તેની સાથે બીજા જે કુદરતી જીવો જીવતા હોય તે પણ પર્યાવરણને પૂર્ણ બનાવવા જરૂરી છે. ઉંદર, કરોળિયા, જીવડાં અને બીજાં ઉપકારક જંતુઓ પાક અને જમીન માટે જરૂરી છે. જંતુઘ્ન દવાઓ તો આડેધડ આ બધા જ જીવોનો નાશ કરે છે. ભોપાળના રાસાયણિક ગેસના અકસ્માતે ભારતના વિચારક લોકોની આંખ ઉઘાડી છે. અત્યારના કહેવાતા ડહાપણ પ્રમાણે જવાહરલાલથી માંડીને રાજીવ ગાંધી સુધીના નેતાઓ માને છે કે જેમ જેમ ઔદ્યોગિક અર્થતંત્ર અને આધુનિક ટેકનોલોજીનો વિકાસ થશે તેમ તેમ ગરીબ દેશોને વધુ લાભ થશે. અમેરિકાને
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy