SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ બાર પ્રકારની હિંસાઓ “આ ખાડાને બરાબર પૂરી દો. અહીંથી તેલ નીકળ્યું છે તે કોઈને ખબર થવા પામે નહિ.’’ આવું શેખે શું કામ કર્યું? તાજેતરમાં પ્રગટ થયેલા ‘એન્ડ્રોપી નામના પુસ્તકમાં આ પ્રશ્નનો જવાબ તેના લેખક જેરેમી રીફકીને આપ્યો છે. જેરેમી રીફકીને કહ્યું કે આ શેખને દીર્ઘદૃષ્ટિ હતી. તેણે વિચારી લીધું કે ‘પશ્ચિમના ગોરા લોકો આ ક્રૂડ તેલ ભાળીને દોડશે અને આરબોનાં પ્રાણાલિકાગત જીવનને બરબાદ કરશે.'' આ શેખનો ડર સાચો પડ્યો છે. પશ્ચિમની ટેકનોલોજી અને વિજ્ઞાને માત્ર આરબ દેશો જ નહીં પણ બીજા દેશોના પ્રણાલિકાવાળા જીવનને નષ્ટ કર્યું છે. આરબ દેશો સો વર્ષ પહેલાં અનાજનો દાણો આયાત કરતા નહીં. ૧૯૭૫માં ૫૦ ટકા અનાજની જરૂરિયાત આયાત થતી હતી. હવે પાંચ વર્ષમાં તેમની જરૂરિયાતનું ૭૫ ટકા અનાજ આયાત કરશે. આવી દશા દરેક ગરીબ દેશે વિદેશની ટેકનોલોજીની વાનર નકલ કરી છે તેમની થશે. પરંતુ આ આર્થિક અસર જ નહીં પરંતુ આધુનિક ટેકનોલોજીએ જે પર્યાવરણનો બગાડ કર્યો છે તે અમેરિકામાં આરોગ્યનો સત્યનાશ કરીને હવે ભારતમાં ભોપાળના આંગણે પણ આવી પહોંચ્યો છે. જેમ જેમ વધુ ને વધુ વિદ્યુતશક્તિ કે ક્રૂડનું બળતણ વપરાતું ગયું છે તેમ તેમ વધુ ને વધુ પ્રદૂષણ પેદા થતું ગયું છે. ‘એન્ડ્રોપી’ના લેખક કહે છે : ધી ગ્રેટર ધી એનર્જી ફલો. ધી ગ્રેટર ધી પોલ્યુશન.' અને એમ વધુ શક્તિ વાપરવાથી પેદા થતાં પ્રદૂષણે વધુ ને વધુ મોત નોતર્યાં છે. લેખક કહે છે કે ન્યુયોર્ક શહેરના ટેક્સી ડ્રાયવરના લોહીમાં એટલો બધો કાર્બન મોનોક્સાઈડ હોય છે કે આ ટેક્સી ડ્રાઈવરો રક્તદાન કરે છે તે હૃદયરોગના દર્દીને ચઢાવી શકાતું નથી. અમેરિકન સેનેટની એક સમિતિને અમેરિકન વિજ્ઞાનીઓએ કહ્યું છે કે ‘બાળકોને’ જે દૂધ અપાય છે તે પણ જોખમી થઈ ગયું છે. માતાઓ સ્તનપાન કરાવે છે તે દૂધમાં પણ પેસ્ટીસાઈડઝના અંશો હોય. ઉપરાંત બાળકો માટે જે કહેવાતા પાચક આહારો ડબ્બામાં પેક થઈને આવે છે તેમાં સીસાના ઝેરી અંશો હોય છે.' જે અમેરિકામાં છે તે વહેલુંમોડું ભારતમાં આવે છે. અમેરિકામાં હડધૂત થતા પેસ્ટીસાઈડઝ અર્થાત્ ખેતીવાડીના પાકની જંતુઘ્ન દવાઓ ભારતમાં આવે છે. અમેરિકામાં છેલ્લાં ૧૫ વર્ષમાં જે કેન્સરના રોગો થાય છે તેમાંથી ૬૦ થી ૯૦ ટકા કેન્સરના રોગ માનવીએ ઊભાં કરેલાં પ્રદૂષણો ખાદ્યપદાર્થોમાં વપરાતા પ્રીઝર્વેટિવ કેમિકલ્સથી અને રસાયણોને કારણે થાય છે. અમેરિકાના એક જમાનાના આરોગ્ય સચિવ શ્રી જોસેફ કેલીફાનોએ ચોંકાવનારી વાત કહેલી કે ૨૦ થી ૪૦ ટકા જેટલા કેન્સરના રોગો અમુક કારખાનામાં કામ કરનારા મજૂરોને જ થાય છે. વિવિધ પ્રકારનાં રસાયણો, ધાતુઓ અને
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy