________________
શુભમાં આગળ વધીએ
મુક્તિ ન મળે ત્યાં સુધીના દરેક ભવમાં મોક્ષને અનુકૂળ સામગ્રીઓની તો આપણને જરૂર પડવાની જ છે અને એ સામગ્રીઓ આપણને કર્મસત્તા તરફથી જ મળવાની છે.
પ્રશ્ન એ છે કે આ જીવનમાં આપણે એવું તો શું કરતા રહીએ કે જેના પ્રતાપે કર્મસત્તા આપણને મોક્ષાનુકૂળ સામગ્રીઓ આપવા મજબૂર બનીને જ રહે ?
જવાબ આ પ્રશ્નનો આ છે. શુભમાં આપણે આગળ વધતા જ રહીએ તો કર્મસત્તા દરેક ભવમાં આપણાં વધામણાં કરતી જ રહે. શુભમાં આગળ વધવું એટલે ? શુભયોગના સેવનમાં આગળ વધવું. શુભ ધ્યાનમાં આગળ વધવું. શુભ પરિણતિમાં આગળ વધવું. શુભની પ્રશંસામાં આગળ વધવું. શુભના પક્ષપાતમાં આગળ વધવું.
દિલની દીવાલ પર આ શબ્દો કોતરી રાખજો કે શુભની ઉપેક્ષા કરનાર આત્મા કર્મસત્તા દ્વારા ઉપેક્ષણીય બનતો જ રહે છે જ્યારે અશુભ માટે અસંમત થનાર આત્મા ધર્મસત્તા દ્વારા સત્કાર પામતો જ રહે છે.
૮૩
a........................✪✪✪✪✪✪OD
દોષ સામે ગુણ
મનની અનેક પ્રકારની કુટિલતાઓમાંની એક કુટિલતા એ
છે કે એ નકારાત્મક વૃત્તિઓથી છુટકારો મેળવવાની વાતો કરતું રહે છે પરંતુ વિધેયાત્મક વૃત્તિઓની હૃદયમાં પ્રતિષ્ઠા કરી દેવા, માટે એ ઉલ્લસિત થતું જ નથી.
પૂછો એને. ક્રોધથી છુટકારો મેળવવો છે ? જવાબ એનો હશે ‘હા’ પણ પૂછો એને, હૃદયને પ્રેમસભર બનાવતા રહેવું છે ? . જવાબમાં એ બની જશે મૌન.
પૂછો એને. વાસનાના ત્રાસથી છૂટવું છે ? જવાબ એનો હશે ‘હા’ પણ પૂછો એને. ઉપાસનાના ક્ષેત્રે દોટ લગાવવી છે ? . જવાબમાં બની જશે એ મૌન.
શું કહું ? દોષ સાથે મૈત્રી જમાવી દો, તમને એ દુર્ગતિમાં ધકેલી દે. દોષ સામે દુશ્મનાવટ કેળવી લો, તમને એ થકવી નાખે. * દોષ સામે તમે ગુણને લાવી દો. દોષ રવાના થવા લાગે.
ગણિત સ્પષ્ટ છે. નકારાત્મક વૃત્તિઓ સામે જંગ છેડવાને ‘બદલે વિધેયાત્મક વૃત્તિઓ પ્રત્યે હૃદયને આકર્ષિત કરી દો. નકારાત્મક વૃત્તિઓની સ્મશાનયાત્રા નીકળી જ સમજો.
................