________________
****
પ્રતિબંધ કરવા દ્વારા અનુમિતિને અટકાવે છે માટે સાધ્યાપ્રસિદ્ધિ દોષ એ હેત્વાભાસ બને છે. પૂર્વવત્ સ્વવિષયકજ્ઞાનવિષયત્વ સમ્બન્ધથી તે દોષ હેતુમાં જતાં હેતુ દુષ્ટ બને. જાજીનમય હત્વા માવવાનું જાØનમયતિઃ ધૂમક્ષ એ સમૂહાલંબન જ્ઞાન લેવું. मुक्तावली एवं हेतौ हेतुतावच्छेदकस्याभाव: साधनाप्रसिद्धिः, यथा काञ्चनमयधूमादित्यादौ, अत्र हेतुतावच्छेदकविशिष्टहेतोर्ज्ञानाभावात्तद्धेतुकव्याप्तिज्ञानादेरभावः फलम् ।
(ii) સાધનાપ્રસિદ્ધિ : હેતુતાવ છેવામાવવાન્ હેતુઃ ।
पर्वतो वह्निमान् काञ्चनमयधूमात् ।
અહીં જીિનમયધૂમત્વામાવવાન્ ાજીનમયધૂમઃ એ સાધનાપ્રસિદ્ધિ દોષ છે. તેનું જ્ઞાન થતાં સાધ્યસમાનાધિકરણ હેતુતાવચ્છેદકવિશિષ્ટહેતુઘટિતવ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધ થઈ જાય અને તેના દ્વારા અનુમિતિ અટકી જાય, માટે સાધનાપ્રસિદ્ધિ એ હેત્વાભાસ કહેવાય. અહીં હેતુતાવચ્છેદકાભાવવાન્ હેતુ એ જ દોષ છે, માટે તાદાત્મ્યસંબંધથી જ હેતુ દુષ્ટ બની જાય, એટલે અહીં સ્વવિષયકજ્ઞાનવિષયત્વ સંબંધ લેવાની જરૂર રહેતી નથી.
मुक्तावली : एवं वह्निमान् नीलधूमादित्यादौ गुरुतया नीलधूमत्वस्य हेतुताऽनवच्छेदकत्वमपि व्याप्यत्वासिद्धिरित्यपि वदन्ति ।
મુક્તાવલી : નવ્યોએ વ્યાપ્યત્વાસિદ્ધિ એટલે સોપાધિજો હેતુઃ વ્યાપ્યાસિદ્ધિઃ કહ્યું, જ્યારે પ્રાચીનો ગુરૂધર્મતયા હેતુતાનવચ્છેદકધર્મને વ્યાપ્યત્વાસિદ્ધિ કહે છે.
पर्वतो वह्निमान् नीलधूमात् ।
અહીં ધૂમત્વની અપેક્ષાએ નીલધૂમત્વ એ ગુરૂભૂત ધર્મ છે માટે તે હેતુતાવચ્છેદક ધર્મ બની શકે નિહ. આમ અહીં ધૂમ હેતુ એ હેતુતાવચ્છેદકાભાવવ બન્યો માટે તે વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય. જ્યારે અહીં ગુરૂધર્મતયા નીલધૂમત્વ એ હેતુતાનવચ્છેદક છે એવું વ્યાપ્યત્વાસિદ્ધિનું જ્ઞાન થાય ત્યારે વહ્રિવ્યાપ્યનીલધૂમવાન્ પર્વતઃ એવો પરામર્શ થતો અટકી જાય અને તેથી નીલધૂમહેતુક પર્વતો વૃદ્ઘિમાન્ એ અનુમિતિનો પણ પ્રતિબંધ થઈ જાય. એટલે અનુમિતિ-વિરોધી આ વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ એ હેત્વાભાસ કહેવાય.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૯૮)