________________
રત્નકોશકાર : સારું, પણ વિરોષિકોટિદ્રયની ઉપસ્થિતિ થયા પછી પણ સંશય તો થાય છે. આ વાત પ્રત્યક્ષ-સિદ્ધ છે. અમે પૂર્વે જ સ્થાળુત્વવ્યાવાનયમ્ અને સ્થાનુામાવવ્યાખવાનયમ્ એવી બે વિરોધિકોટિ ઊભી કરીને જણાવ્યું છે કે ત્યાં ઉત્તરક્ષણે ‘સ્થાળુર્ત વા’ એવો પ્રત્યક્ષાત્મક સંશય થઈ જ જાય છે, તો અનુમિતિ સ્થળે પણ બે વિરોધિકોટિની ઉપસ્થિતિ થયા બાદ ઉત્તરક્ષણે સંશયાકારાનુમિતિ કેમ ન થાય?
ઉત્તર : નહિ, બે ય જગ્યાએ જુદી જુદી બાબત છે. સ્થાળુત્વવ્યાવ્યવાનયમ્, સ્થાળુવામાવવ્યાખવાનયમ્ આ બે ય વિરોધિકોટિમાંની પ્રત્યેકમાં ‘અપ્રામાણ્ય'નું જ્યાં જ્ઞાન હોય ત્યાં જ તદુત્તરક્ષણે ‘સ્થાળુનૢ વા” એવો સંશય થાય, જ્યારે ‘વહ્નિવ્યાપ્યધૂમવાનાં, વક્ષ્યમાવવ્યાપ્યત્તતવાનયું' એ બે ય વિરોધિકોટિના જ્ઞાનમાં ક્યાંય અપ્રામાણ્યનું જ્ઞાન નથી. આ બે સ્થાન વચ્ચે મોટો ફરક છે. જ્યાં પ્રત્યેકમાં અપ્રામાણ્યનો નિશ્ચય હોય ત્યાં એક કોટિનું જ્ઞાન બીજી કોટિના જ્ઞાનને પ્રતિબધ્ય કરી શકે નહિ અને તેથી તદુત્તરક્ષણે ઉભયકોટિક સંશય થઈ શકે. અને જ્યાં આ રીતે અપ્રામાણ્યનો ગ્રહ ન હોય ત્યાં બે ય વિરોધિકોટિના જ્ઞાન પરસ્પરને પ્રતિબધ્ય કરી શકે, એટલે જ સત્પ્રતિપક્ષ સ્થળે બે ય પરામર્શ પરસ્પરની અનુમિતિ પ્રત્યે પ્રતિબધ્ય-પ્રતિબંધક બની જાય. અને તેથી જ સંશયાકાર અનુમિતિ પણ થઈ શકે નહિ.
અહીં રત્નકોશકાર-મતના આક્ષેપ-પરિહાર પૂર્ણ થાય છે.
मुक्तावली : असिद्धिस्त्वाश्रयासिद्ध्याद्यन्यतमत्वम् । आश्रयासिद्धिः पक्षे पक्षतावच्छेदकस्याभावः । यत्र च काञ्चनमयः पर्वतो वह्निमानिति साध्यते तत्र 'पर्वतो न काञ्चनमय' इति ज्ञाने विद्यमाने काञ्चनमये पर्वते परामर्शप्रतिबन्धः फलम् ।
મુક્તાવલી : (૪) અસિદ્ધિ : માશ્રયામિાદ્યન્યતમત્વ અસિદ્ધિત્વમ્ । અસિદ્ધિ ત્રણ પ્રકારની છે :
૧. આશ્રયાસિદ્ધિ.
૨. સ્વરૂપાસિદ્ધિ.
૩. વ્યાપ્યત્વાસિદ્ધિ.
(1) આશ્રયાસિદ્ધિ : પક્ષતાવછેલામાવવાનું પક્ષ: ।
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૯૫)
€•*•E•E•X•E•