________________
5-2555555555555522333232-252232595. hobustwowerstoodstocestostesse soustessoxsteswstwowarstwowow s.com
xtoostoostososboostustaustascostarstochowstosouscouscostobocorsooth
| એ જો અલૌકિક પ્રત્યક્ષમાં કારણ છે, તો કોઈ એક ઘટવભૂતલ સાથે ચક્ષુઃસંયોગાદિ | ન થાય છતાં પણ જો તે વખતે ઘટનું સ્મરણાત્મક જ્ઞાન કે અન્ય સ્થળે અનુમિત્યાત્મક જ્ઞાન થઈ જાય તો તે ઘટાત્મક સામાન્યના જ્ઞાનરૂપ પ્રત્યાત્તિથી તદ્ઘટવત્ સકળ | ભૂતલનું અલૌકિક પ્રત્યક્ષ થઈ જવાની આપત્તિ આવશે. ટૂંકમાં ચક્ષુ સંયોગાદિ વિના પણ અલૌકિક પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે.
કહેવાનો આશય એ છે કે સામાન્યજ્ઞાનાત્મક સંનિકર્ષ એ તો અલૌકિક સંનિકર્ષ છે. એટલે ઈન્દ્રિયસંબંધ વિના પણ એ અલૌકિક સંનિકર્ષથી અલૌકિક ચાક્ષુષપ્રત્યક્ષ (સામાન્યાશ્રય સકલવ્યક્તિસાક્ષાત્કાર) કેમ ન થઈ જાય ? વસ્તુતઃ અલૌકિક ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે વિશેષણ(ધૂમત્વ કે ઘટાદિ)નું લૌકિક પ્રત્યક્ષ જ અલૌકિક સંનિકર્ષ દ્વારા કારણ છે. અને ઇન્દ્રિયસંયોગ વિના વિશેષણનું લૌકિક પ્રત્યક્ષ થઈ શકે નહિ, માટે આ પ્રશ્ન ઉઠાવાયો છે. હા, અલૌકિક માનસપ્રત્યક્ષ માટે લૌકિક પ્રત્યક્ષ પૂર્વમાં ન હોય તો ચાલે, પણ અલૌકિક ચાક્ષુષપ્રત્યક્ષ માટે તેમ ન ચાલે.
ઉત્તર : જયારે ચક્ષુરાદિ બહિરિન્દ્રિયથી અલૌકિક સંનિકર્ષ દ્વારા છે | ઘટવદ્યાવભૂતલનું અલૌકિક ચાક્ષુષપ્રત્યક્ષ ઉત્પન્ન કરવું હોય ત્યારે યત્કિંચિત્ | ભૂતલાદિ ધર્મીમાં રહેલા ઘટના ચાક્ષુષપ્રત્યક્ષરૂપ જ્ઞાનની સામગ્રી અપેક્ષિત રહે છે. આ સામગ્રી એટલે મહત્ત્વાવચ્છિન્ન-ઉદ્ભૂતરૂપાવચ્છિન્નાલોકસંયોગાવચ્છિન્ન-ચક્ષુઃસંયોગ રૂપ સમજવી. આ સામગ્રી હોય તો જ ભૂતલવૃત્તિ ઘટનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય અને જયારે આ રીતે ઘટનું લૌકિક ચાક્ષુષપ્રત્યક્ષ થાય ત્યારે તે ઘટાત્મક સામાન્યના જ્ઞાન દ્વારા સકલ તદ્ઘટાશ્રય ભૂતલનું અલૌકિક પ્રત્યક્ષ થાય. આમ હવે ચક્ષુ સંયોગાદિ વિના અલૌકિક પ્રત્યક્ષ થવાની આપત્તિ ન રહી, કેમકે ચક્ષુઃસંયોગ એ અલૌકિક પ્રત્યક્ષરૂપ કાર્યમાં પરંપરયા સામગ્રી બની છે.
હવે જ્યારે “આ ચક્ષુઃસંયોગ પણ મહત્ત્વોબૂતરૂપ-આલોકસંયોગથી અવચ્છિન્ન | હોવો જોઈએ' એમ કહ્યું એટલે અંધકારમાં આલોકસંયોગ ન હોવાથી, ઉત્પત્તિ-ક્ષણમાં | ઘટાદિમાં ઉદ્દભૂત રૂપ ન હોવાથી, દેશાન્તરમાં ચક્ષુઃસંયોગ ન હોવાથી ચક્ષુરિન્દ્રિય દ્વારા | ઘટનું પ્રત્યક્ષાત્મક જ્ઞાન ન થાય. અને તેથી ઘટજ્ઞાનાત્મક સંનિકર્ષના અભાવે અલૌકિક પ્રત્યક્ષ પણ ન જ થાય.
ઘટ સાથે ચક્ષુઃસંયોગાદિ હોય તો જ ઘટ-પ્રત્યક્ષ (ઘટજ્ઞાન) થાય અને તો જ તે | ઘટાત્મક સામાન્યના જ્ઞાન દ્વારા તદ્ઘટવત્ યાવભૂતલનું અલૌકિક પ્રત્યક્ષ થાય.
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
Fqwwજૂર ન્યાયાદ્ધિનાતાવહી ભાગ-૧૦ (૨