________________
Photostustoas
as
s ados condowoso assocostosas do dowodaco
કર્મ કોઈ બીજો જ બાંધે અને છોડે વળી કો'ક ત્રીજો જ. આમ અહીં બંધ, મુક્તિ વગેરે | | ઘટી શકે નહિ.
(૪) જગત્મસિદ્ધવ્યવહારોનો લોપ : આ પ્રત્યક્ષસિદ્ધ વ્યવહાર છે કે છોકરો કહે છે એ “આ મારા બાપ છે.” બાપ કહે છે : “આ મારો છોકરો છે.” ક્ષણવાદમાં આ વાત | નહિ ઘટે, કેમકે બાપ તો ક્ષણમાં જ મરી ગયો. છોકરો પણ ક્ષણમાં નષ્ટ થઈ ગયો. ખોવાયેલો છોકરો ઘણી ક્ષણ બાદ મળ્યો પછી બાપ તેને પોતાનો છોકરો કહે છે. આ વાત આ ક્ષણિકવાદમાં શી રીતે ઘટી શકે ? જો સજાતીય ધારાની વાત કરો તો તે શી રીતે બની શકે? કેમકે છોકરાનો તો નિરન્વય નાશ થયો છે. વક્તા જે પર્ષદાને સંભળાવે
છે તે પર્ષદા તો સાંભળતાં જ નષ્ટ થઈ. હવે બોધ તો બીજી જ પર્ષદાને થયો કે જેણે 8 | સાંભળ્યું જ નથી. આ બધું તો પ્રત્યક્ષ વ્યવહાર-વિરૂદ્ધ છે. વક્તા અને શ્રોતા થોડીવારમાં | તો હજારો થઈ જશે.
“આ આજે બન્યું, આ કાલે બન્યું' એમ પણ આ વાદમાં નહિ કહેવાય, કેમકે બધું | ક્ષણિક છે. જો એમ કહો કે વસ્તુની વિજ્ઞાનધારા આજથી-કાલથી શરૂ થઈ તો તે ય | બરોબર નથી, કેમકે એ બધો મેળ કોણ મેળવે ? કોઈ જોનાર તો છે નહિ. ક્ષણવાદમાં તો જોનાર પણ ક્ષણિક જ છે.
કોઈએ પૈસા ધીર્યા પછી લેવા આવશે ત્યારે પેલો ના પાડશે, કેમકે ધીરનાર તો | ગયો. હવે લેનાર પાસે પૈસા માંગવા શું જવાય ?
પાણી પીવાથી તરસ મટે, ભોજન લેવાથી પેટ ભરાય ઈત્યાદિ વ્યવહાર પણ અહીં | નહિ થાય.
(૫) શાસ્ત્રનૈરર્થક્ય : આત્મશુદ્ધિનું સાધન શાસ્ત્ર છે. ક્ષણવાદમાં તો બગડેલો | આત્મા નિરન્વય નાશ પામ્યો. નવો તો શુદ્ધ જ છે. શુદ્ધને શાસ્ત્રની શી જરૂર ? પાપ કરનાર નાશ પામ્યો તો પ્રાયશ્ચિત્ત કોણ કરે ?
શાસ્ત્રવચન છે કે “દીર્ઘકાળ સુધી અધ્યયન-મનન-ચિંતન કરો' તો દીર્ઘકાળ સુધી) અધ્યયનાદિ કોણ કરે ? જો એમ કહો કે અમારી ચિત્યન્તતિ અધ્યયનાદિ કરવાની છે, તો “અમારી’ એટલે કોની ? જેની કહો છો તે સ્થિર થઈ જશે. પાંચસો મોતીની વચ્ચે એક દોરો છે. તે દોરો કહેશે કે આ મારા મોતી. પણ દોરો જ નહિ હોય તો કોણ કહેશે કે, “આ મારા મોતી છે. શાસ્ત્ર કહે છે કે, “ઘોર આરંભ કરનાર નરકે જશે.' આ વાત ક્ષણવાદમાં નહિ ઘટે.
બૌદ્ધ કહે છે કે ક્ષણિકત્વ ભાવનાના બળથી રાગાદિ નાશ પામે છે. તો ભાવનાનો ETTEST વાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૯૨) EEEEEEEE