________________
wedbochabadowdowcowbostostochodowboardowocowbohatothechahuhuhuhu
મળતી હોય તેમાંથી તે ઉત્પન્ન થયો, તો વળી સાદૃશ્ય = સામાન્ય સ્થિર થઈ જતાં | સિદ્ધાન્તભંગ થશે.
(૨) (A) કૃતનાશ : ક્ષણિકવાદના હિસાબે જેણે પાપ કર્યું તે મરી ગયો અને ફળ ભોગવનાર બીજો જ બન્યો. અનુભવ કરનાર ગયો અને સ્મરણ કરનાર બીજો જ આવ્યો. કોળિયો ઉપાડનાર બીજો અને ખાનાર બીજો બન્યો. એકે સુકૃત કર્યું તેનું ફળ બીજો ભોગવશે. એટલે જેણે જે કર્યું તેની તે વસ્તુનો નાશ થયો માટે કૃતનાશની આપત્તિ આવે.
વળી અહીં એક શબ્દ પણ સીધો નહિ બોલાય. દે, વ, દ, 7 - દરેક અક્ષર | બોલનાર જુદી જુદી વ્યક્તિ થઈ જશે. જો એમ કહો કે “દે'ના સંસ્કારવાળો “વ” બોલે | છે, “દેવ'ના સંસ્કારવાળો ‘દ' બોલે છે, “દેવદના સંસ્કારવાળો ‘દેવદત્ત' બોલે છે, તો પ્રશ્ન થાય કે કોને કોના સંસ્કાર મળે છે? “દે બોલ્યો તે જ ક્ષણે બીજો કોઈ “ય' બોલ્યો તો અહીં ‘દે’ બોલનારની પછી ઉત્પન્ન થયેલ વિજ્ઞાન, તે જ “ય” બોલનારની પછી પણ ઉત્પન્ન થયેલું છે. તો એને “દ'ના જ સંસ્કાર મળ્યા અને ‘ય’ના કેમ ન મળ્યા?
(૨) (B) અકૃતાગમ ઃ “કર્યું નથી અને ફળ મળવું : “ભોગવવું તે અકૃતાગમ દોષ | કહેવાય. અનુભવ કર્યા વિના સ્મરણ થાય છે. પાપ કર્યા વિના દુ:ખ ભોગવાય છે. પુણ્ય કર્યા વિના સુખ ભોગવાય છે. પાપ કર્યું નથી અને નરક મળે છે. ઘટનું જ્ઞાન નથી અને ઘટની ઈચ્છા છે. ઘટની ઈચ્છા નથી અને ઘટમાં પ્રવૃત્તિ કરે છે. જગતમાં તો દેખાય છે કે “યો ગાનાતિ સાવ રૂછતિય તિ સાવ યતિને આ કેમ બનશે? | ક્ષણિકવાદમાં તો “ય:' “R:' નો પ્રયોગ જ થાય તેમ નથી. જો એમ કહો કે “યો | જાતિના સંસ્કારવાળો 1: કહેવાય તો કોને તે સંસ્કાર મળે ? કેમકે યો નાનાતિ ની | ઉત્તરક્ષણમાં તો આખું જગત છે.
ધારો કે પચાસ પચાસ મોતીઓની દસ ઢગલીઓમાંથી માળાઓ બનાવી. મોતી | | બધા સરખા છે, તો કઈ ઢગલીમાંથી કઈ માળા બની ? કેમકે ઢગલી તો બધી ખતમ | છે ! થઈ ગઈ. માટે આ ક્ષણવાદમાં અકુતાગમ દોષ આવે છે.
(૩) બંધ-મોક્ષની વ્યવસ્થાની અનુપપત્તિ: એવો નિયમ છે કે “યો વચ્ચે તે હિ પુતે ' ક્ષણવાદમાં જે બંધાય છે તે તો નષ્ટ થઈ ગયો તો હવે છૂટવાનું કોણે ? છૂટનાર | જુદો અને બાંધનાર જુદો. “જે બાંધે તે છોડે” એ વાત ક્ષણવાદમાં નહિ ઘટે. વળી બંધ પણ નહિ ઘટે. કોણ બંધ કરે છે? દુષ્કૃત કરનાર તો નષ્ટ થઈ ગયો. દુષ્કત કોઇક કરે,
પ
ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૧૦ (૧૯૧)