________________
howtoestwowa
paskowcoastedescobeshadow owoco
कारिकावली : जन्यानां जनकः कालो जगतामाश्रयो मतः ॥४५॥ मुक्तावली : कालं निरूपयति - जन्यानामिति । तत्र प्रमाणं दर्शयितुमाह - जगतामिति । तथाहि-'इदानी घट' इत्यादिप्रतीतिः सूर्यपरिस्पन्दादिकं यदा विषयीकरोति तदा सूर्यपरिस्पन्दादिना घटादेः सम्बन्धो वाच्यः, स च सम्बन्धः संयोगादिर्न सम्भवतीति काल एव तत्सम्बन्धघटकः कल्प्यते । इत्थं च तस्याश्रयत्वमपि सम्यक् ॥
મુક્તાવલી : જગતમાં જેટલા પદાર્થો ઉત્પન્ન થાય છે તે બધા પદાર્થો પ્રત્યે કાળ નિમિત્તકારણ છે. ના, એવો એક પણ પદાર્થ ઉત્પન્ન થતો નથી કે જે વખતે કોઈ ને કોઈ કાળ ન હોય, અર્થાત્ કાળ વિના કોઈપણ પદાર્થની ઉત્પત્તિ શક્ય | જ નથી. માટે ઉત્પન્ન થતાં તમામ પદાર્થો પ્રત્યે કાળ નિમિત્તકારણ બને છે. એટલું
જ નહિ પણ “નિ: સર્વવાન' એવી પ્રતીતિ થાય છે માટે કાળ એ સમગ્ર જગતનો | આધાર પણ છે જ.
કાળની સિદ્ધિ મદ પટ: ભવિષ્યતિ : પદો પવિતા રૂતિ પ્રત્યેક વાત: વિજયી ક્રિયા “ાન ધટ: ગતિ આવી જે પ્રતીતિ આપણને થાય છે તે પ્રતીતિ શું છે? હમણાં ઘટ છે' એનો અર્થ એ જ કે વર્તમાનમાં જે સૂર્યક્રિયા (ગતિ) થઈ રહી છે તેની સાથે ઘટનો સંબંધ છે માટે જ તે ઘટ “હમણાં છે' એમ કહેવાય છે.
હવે અહીં પ્રશ્ન થાય કે સૂર્યની ગતિ તો સૂર્યમાં રહી અને ઘટ રહ્યો પૃથ્વી ઉપર અથવા તો કપાલમાં, તો આ બે વચ્ચે કયો સંબંધ માનવો? કે જેથી ફાન પટઃ' એવી પ્રતીતિ થાય છે. સંયોગ સંબંધ તો માની શકાય નહિ, કેમકે “વ્યવ્યવ સંથો: એ નિયમ છે. ક્રિયા અને દ્રવ્યનો સંયોગ તો સંભવે નહિ. સમવાયસંબંધ પણ ન મનાય, કેમકે સૂર્યક્રિયાનો સમવાય સૂર્યમાં રહે, પરકીય ઘટમાં ન જ રહે. તો પછી સૂર્યક્રિયા , | અને પૃથ્વસ્થ ઘટ વચ્ચે કયો સંબંધ માનવો? એ પ્રશ્ન ઊભો જ રહે છે.
એનો ઉત્તર આપતાં મુક્તાવલીકાર કહે છે કે સ્વાશ્રયતાનસંયોગિસંયોગ એ જ એ | | બે વચ્ચેનો સંબંધ છે. “સ્વ” એટલે સૂર્યક્રિયા, તેનો આશ્રય જે તપન (સૂર્ય), તે તપનનો | સંયોગી કાળ, અને તે કાળનો સંયોગ ઘટમાં છે. આમ સૂર્યક્રિયા અને પૃથ્વી ઘટ વચ્ચેનો સંબંધ જોડી આપનાર તે બેની વચ્ચે કોઈ દ્રવ્ય માનવું જ રહ્યું કે જે દ્રવ્યનો સૂર્ય
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来外
ન્યાયસિદ્ધાન્તાક્તાવલી ભાગ-૧૦ (૧૨