SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પાલન જો ન કરવામાં આવે તો પતિ-પત્ની વચ્ચે અવશ્ય ખટરાગ ઊભો થાય. આપ જો દામ્પત્યજીવનને પ્રસન્નતાસભર રાખવા માંગતા હો તો હું ઇચ્છું છું કે આચારધર્મનું આપ પાલન કરો' માનવતીની આ વાત પર રાજાને શંકા કરવાનું કોઈ કારણ જણાયું નહીં. માનવતીને એણે કહ્યું, ‘આપ થોડીક લાપસી ખાઈને એ થાળ મને આપો, હું એઠી લાપસી ખાઈ લઉં એટલે આચારધર્મનું પાલન થઈ જાય !” માનતુંગ એ કોઈ મામૂલી માણસ નથી, રાજા છે. રાજા ચપળ તો હોય જ છે પણ ચાલાક અને ચબરાક પણ હોય છે. પરિચિતની વાત પર વિશ્વાસ મૂકતા પહેલાં ય એ લાખ વાર જો વિચારતો હોય છે તો અપરિચિતની વાત પર તો એ વિશ્વાસ મૂકે જ શેનો ? જ્યારે અહીં માનતુંગ સર્વથા અપરિચિત એવી સ્ત્રીની વાત પર વિશ્વાસ મૂકીને એની ખાધેલી, એઠી કરેલી લાપસી ખાવા તૈયાર થઈ ગયો છે ! કરુણતા જ છે ને ? માનવતીએ થાળમાંની થોડીક લાપસી ખાઈને એ થાળ માનતુંગને આપ્યો. માનતુંગે એ થાળમાં વધેલી એઠી લાપસી ખાઈ લીધી. મોટું ચોખ્ખું કરીને એણે માનવતીને પૂછ્યું, ‘પણે રત્નવતી અહીં કેમ નથી આવી ?' ‘ગોત્રજની પૂજા એણે કરવાની રહેશે. છ માસ સુધી એ વિધિ ચાલશે. પછી એ તમારી પાસે આવશે.' ‘ત્યાં સુધી ?? ‘તમારે અહીં જ રહેવું પડશે અને તમારા અહીં રહેવાની બધી જ વ્યવસ્થા દલસ્તંભન રાજાએ પહેલેથી કરી જ રાખી છે' માનતુંગ આ સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો, માનવતીને એ આગળ કાંઈ પૂછે એ પહેલાં તો માનવતી ત્યાંથી નીકળી ગઈ અને ઉતાવળે પગલે મહારાણી ગુણમંજરી પાસે આવી. ‘રાજા વ્રત માટે છ માસ અત્રે રહેશે. ત્યાર બાદ ઉજ્જયિની જઈને ગોત્રદેવીને પ્રસન્ન કરીને પછી જ રત્નવતી સાથે લગ્નજીવન શરૂ કરશે. રાજાએ આ સંદેશ આપને આપવા મને જણાવ્યું છે.' માનવતીએ કહ્યું. ગુણમંજરી અને રત્નવતીને કાંઈ જ બોલવાનું ન રહ્યું. બીજી મધ્યરાત્રિએ માનવતી પુનઃ માનતુંગ પાસે પહોંચી ગઈ. | ‘અત્યારે કેમ ?” ‘બસ, એમ જ. મને થયું આપ એકલા હશો. આપની પાસે પહોંચી જાઉં. હળવી વાતો કરીને આપને પ્રસન્ન બનાવી દઉં” માનવતીએ આટલું જ કહ્યું અને રાજાના મનમાં સુષુપ્ત પડેલ વાસના સળવળી ઊઠી. ‘તારા અત્યારે અહીં આવવાથી મને ય ખૂબ આનંદ થયો છે. તું મારી સાથે...' “રાજન ! તમને શરમ આવવી જોઈએ આવી વાત કરતા...’ પણ રૂપ, યુવાની, એકાંત, અંધકાર આ તમામને પરવશ બની ગયેલ માનતુંગ નિર્લજ્જ બનીને માનવતી પાસે ભોગની યાચના કરવા લાગ્યો. અને માનવતી અંદરથી રત્નાવતીના ગુરુની પત્નીની ઓળખ આપી માનવતએ થાળીમાંથી થોડી લાપસી ખાઈને થાળ રાજા માનતુંગને આપ્યો. રાજાએ એઠી લાપસીમાંથી કોળીયો ભર્યો. ge ૮૦
SR No.008880
Book TitleAho Ashcharyam
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy